ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવા માટે ઘરોની દીવાલોનો ઉપયોગ કરતી શાળા
પ્રતીકાત્મક તસવીર
કોવિડ-19 મહામારી દરમિયાન ઘણા ગરીબ વિદ્યાર્થીઓને ઑનલાઇન વર્ગો માટે સ્માર્ટફોન પરવડી શકે એમ ન હોવાથી મહારાષ્ટ્રના સોલાપુર શહેરની એક શાળાએ નજીકનાં ઘરોની દીવાલો પર પાઠ્યપુસ્તકોના પાઠોનાં પેઇન્ટિંગ્સ કરીને શિક્ષણ આપવાનો નવો માર્ગ શોધી કાઢ્યો છે.
સોલાપુરના નિલમનગર વિસ્તારનાં જુદાં-જુદાં ઘરોની બહાર તરફની આશરે 300 જેટલી દીવાલોને ધોરણ-૧થી ૧૦ના જુદા-જુદા વિષયોનાં પાઠ્યપુસ્તકોના પાઠોને સરળ બનાવીને પેઇન્ટિંગ્સ કરવામાં આવ્યાં છે.એના કારણે વિદ્યાર્થીઓ માટે સોશ્યલ
ADVERTISEMENT
ડિસ્ટન્સિંગની માર્ગદર્શિકાનું પાલન કરીને જે-તે દીવાલ સામે ઊભા રહીને પાઠનું પુનરાવર્તન કરવું સરળ બની રહે છે, એમ નિલમનગરના આશા મરાઠી વિદ્યાલયના શિક્ષક રામ ગાયકવાડે જણાવ્યું હતું.
જીકના વિસ્તારોના લગભગ ૧૭૦૦ વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં તથા તેના સેકન્ડરી સેક્શન શ્રી ધર્મન્ના સદુલ પ્રાશાળામાં અભ્યાસ કરે છે.
ગાયકવાડે જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓ ગરીબ પરિવારમાંથી આવે છે અને તેમનાં માતા-પિતા શ્રમિકો છે, મુખ્યત્વે જિલ્લાના ટેક્સટાઇલ એકમોમાં કામ કરે છે.
વર્તમાન કોવિડની સ્થિતિમાં ઑનલાઇન શિક્ષણ એ નવું સ્વરૂપ છે, જે માટે ઇન્ટરનેટની સારી સુવિધા સાથે સ્માર્ટફોન હોવો જરૂરી છે, પરંતુ અમારા મોટા ભાગના વિદ્યાર્થીઓનાં માતા-પિતા પાસે સ્માર્ટફોન કે અન્ય ગૅજેટ નથી. આથી, ઑનલાઇન વર્ગો તેમના માટે ઘણું દૂરનું સ્વપ્ન છે, એમ તેમણે જણાવ્યું હતું.