Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવા માટે ઘરોની દીવાલોનો ઉપયોગ કરતી શાળા

ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવા માટે ઘરોની દીવાલોનો ઉપયોગ કરતી શાળા

26 August, 2020 07:27 AM IST | Pune
Agencies

ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવા માટે ઘરોની દીવાલોનો ઉપયોગ કરતી શાળા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોવિડ-19 મહામારી દરમિયાન ઘણા ગરીબ વિદ્યાર્થીઓને ઑનલાઇન વર્ગો માટે સ્માર્ટફોન પરવડી શકે એમ ન હોવાથી મહારાષ્ટ્રના સોલાપુર શહેરની એક શાળાએ નજીકનાં ઘરોની દીવાલો પર પાઠ્યપુસ્તકોના પાઠોનાં પેઇન્ટિંગ્સ કરીને શિક્ષણ આપવાનો નવો માર્ગ શોધી કાઢ્યો છે.

સોલાપુરના નિલમનગર વિસ્તારનાં જુદાં-જુદાં ઘરોની બહાર તરફની આશરે 300 જેટલી દીવાલોને ધોરણ-૧થી ૧૦ના જુદા-જુદા વિષયોનાં પાઠ્યપુસ્તકોના પાઠોને સરળ બનાવીને પેઇન્ટિંગ્સ કરવામાં આવ્યાં છે.એના કારણે વિદ્યાર્થીઓ માટે સોશ્યલ



ડિસ્ટન્સિંગની માર્ગદર્શિકાનું પાલન કરીને જે-તે દીવાલ સામે ઊભા રહીને પાઠનું પુનરાવર્તન કરવું સરળ બની રહે છે, એમ નિલમનગરના આશા મરાઠી વિદ્યાલયના શિક્ષક રામ ગાયકવાડે જણાવ્યું હતું.


જીકના વિસ્તારોના લગભગ ૧૭૦૦ વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં તથા તેના સેકન્ડરી સેક્શન શ્રી ધર્મન્ના સદુલ પ્રાશાળામાં અભ્યાસ કરે છે.

ગાયકવાડે જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓ ગરીબ પરિવારમાંથી આવે છે અને તેમનાં માતા-પિતા શ્રમિકો છે, મુખ્યત્વે જિલ્લાના ટેક્સટાઇલ એકમોમાં કામ કરે છે.


વર્તમાન કોવિડની સ્થિતિમાં ઑનલાઇન શિક્ષણ એ નવું સ્વરૂપ છે, જે માટે ઇન્ટરનેટની સારી સુવિધા સાથે સ્માર્ટફોન હોવો જરૂરી છે, પરંતુ અમારા મોટા ભાગના વિદ્યાર્થીઓનાં માતા-પિતા પાસે સ્માર્ટફોન કે અન્ય ગૅજેટ નથી. આથી, ઑનલાઇન વર્ગો તેમના માટે ઘણું દૂરનું સ્વપ્ન છે, એમ તેમણે જણાવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

26 August, 2020 07:27 AM IST | Pune | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK