Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વૃદ્ધ મા-બાપની સેવા ન કરનારા ચેતી જજો, નહીં તો પગારમાં થશે 30%નો ઘટાડો

વૃદ્ધ મા-બાપની સેવા ન કરનારા ચેતી જજો, નહીં તો પગારમાં થશે 30%નો ઘટાડો

14 February, 2021 04:31 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વૃદ્ધ મા-બાપની સેવા ન કરનારા ચેતી જજો, નહીં તો પગારમાં થશે 30%નો ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રના લાતૂરમાં જિલ્લા પરિષદના સાત કર્મચારીઓને પોતાના માતા-પિતાની સંભાળ નહીં રાખવી ઘણી મોંઘી પડી છે. જિલ્લા પરિષદ અધ્યક્ષ રાહુલ બોન્દ્રેએ શનિવારે જણાવ્યું કે આ કર્મચારીઓના પગારમાંથી 30 ટકા જેટલી રકમ કાપીને તેમના માતા-પિતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવાનું શરૂ કરાયું છે. જણાવી દઈએ કે માતા-પિતાની સંભાળ ન લેતા 12 કર્મચારીઓના વિરૂદ્ધ ફરિયાદો સામે આવી છે, એમાંથી 6 શિક્ષક છે.

માતા-પિતાની સંભાળ ન રાખચા કર્મચારીઓના પગારમાંથી કપાતની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી



ગયા વર્ષે નવેમ્બરમાં જિલ્લા પરિષદની જનરલ કાઉન્સિલમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે માતા-પિતાની સંભાળ ન રાખનારા કર્મચારીઓના પગારમાંથી 30 ટકા કપાત કરવામાં આવશે. ડિસેમ્બરથી તેનો અમલ કરવામાં આવ્યો છે.


જિલ્લા કાઉન્સિલ અધ્યક્ષે કહ્યું - પગારમાંથી કપાત દર મહિવે ચાલુ રહેશે

બોન્દ્રેએ જણાવ્યું કે અમે પોતાના 12 કર્મચારીઓના વિરૂદ્ધ મળેલી ફરિયાદોની તપાસ શરૂ કરી હતી. એમાંથી સાત કર્મચારીઓના પગાર ડિસેમ્બરમાં 30 ટકા કાપવામાં આવ્યા છે. આ કપાત દર મહિેને ચાલુ રહેશે, જે સરેરાશ 15,000 રૂપિયા છે. કેટલાક કેસોમાં નોટિસ આપ્યા બાદ કર્મચારીઓએ પોતાના માતા-પિતા સાથે સમાધાન કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2021 04:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK