Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જ્ઞાતિ બહાર લગ્ન કરનારને પચાસ હજાર રૂપિયાનું ઇનામ

જ્ઞાતિ બહાર લગ્ન કરનારને પચાસ હજાર રૂપિયાનું ઇનામ

26 October, 2012 03:15 AM IST |

જ્ઞાતિ બહાર લગ્ન કરનારને પચાસ હજાર રૂપિયાનું ઇનામ

જ્ઞાતિ બહાર લગ્ન કરનારને પચાસ હજાર રૂપિયાનું ઇનામ




બહુ ઓછા લોકોને ખબર છે કે રાજ્ય સરકારે આંતરજ્ઞાતીય લગ્નને ઉત્તેજન આપવા માટે આ રીતે લગ્ન કરતાં દંપતીઓને ઉત્તેજન આપવા માટે પચાસ હજાર રૂપિયાનું ઇનામ આપવાનો નિયમ બનાવ્યો છે. આ યોજના હકીકતમાં ૧૯૯૫માં શરૂ થઈ હતી અને રાજ્યના ગવર્નમેન્ટ રેઝોલ્યુશન પ્રમાણે હિન્દુ, બ્રાહ્મણ, લિંગાયત, જૈન અને સિખ સમુદાયના સભ્યો વચ્ચે તેમ જ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ વચ્ચેના સભ્યોનાં લગ્ન આવા ઇનામને પાત્ર છે. આ યોજના શરૂ થઈ ત્યારે પંદર હજાર રૂપિયા ઇનામપેટે આપવામાં આવતા હતા. એ અંતર્ગત ચોવીસ દંપતીને આ ઇનામ આપવામાં આવ્યું છે. જોકે ૨૦૧૦ના ફેબ્રુઆરીમાં આ ઇનામની રકમ વધારીને પચાસ હજાર કરી દેવામાં આવી હતી અને કુલ ૯૯ દંપતીને ઇનામપેટે પચાસ-પચાસ હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આમ રાજ્યના વેલ્ફેર ડિપાર્ટમેન્ટે છેલ્લાં બે વર્ષમાં આ રીતે ૧૨૩ દંપતીઓનાં લગ્ન પાછળ ૫૩ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.




Whatsapp-channel Whatsapp-channel

26 October, 2012 03:15 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK