મહારાષ્ટ્રમાં આજે ફરી એક નવો વાયરસ?
પ્રતીકાત્મક તસવીર
ભારત સહિત વિશ્વભરમાં કોરોનાવાયરસ (કોવિડ-19)નો અંતનો કોઈ સંકેત નથી, ઉલટું આ કેસની સંખ્યાઓમાં સતત વધારો જ થઈ રહ્યો છે, એવામાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના વૈજ્ઞાનિકોએ ચીનમાં ફેલાતા એક વાયરસની ગંભીર નોંધ લેતા કહ્યું કે આ વાયરસ ભારતમાં પણ બિમારી ફેલાવવાની ક્ષમતા ધરાવે છે.
આ નવા વાયરસનું નામ કેટ ક્યૂ છે. કોરોના મહામારી સામે જંગ ચાલુ છે ત્યાં ચીનનો આ વાયરસ ભારતમાં પણ ફેલાય તેવી સંભાવના છે. એક તરફ જ્યાં કોરોના વાયરસના કારણે જંગ લડવી મુશ્કેલ પડી રહી છે એવામાં આ નવા વાયરસના કારણે ચિંતા ફેલાઈ શકે છે. ચીન અને વિયેતનામમાં અત્યાર સુધી ઘણા બધા લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે.
ADVERTISEMENT
ICMRએ જે વાયરસની શોધ કરી છે તે અર્થ્રોપોડ જનિત વાયરસની શ્રેણીમાં આવે છે અને તે ભારતમાં પણ ફેલાય તેવી ક્ષમતા ધરાવે છે. આ ક્યૂલેક્સ નામક મચ્છરો અને ભૂંડમાં જોવા મળે છે અને વિવિધ અહેવાલોમાં દાવા કરવામાં આવ્યા છે કે ચીન અને વિયેતનામમાં અત્યાર સુધી ઘણા બધા લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે અને ભારતમાં પણ આ બીમારી થવાની શક્યતા છે.
હવે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં અધિકારીઓને કોંગો તાવની સંભવિત પ્રસારને લઈને સતર્ક રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ક્રાઈમિયન કોંગો હેમોરેજિક ફીવર (CCFF) કે કોંગો તાવ (કોંગો ફિવર) પણ કહેવામાં આવે છે. તે ઈતરડીના માધ્યમથી મનુષ્યમાં ફેલાય છે. જિલ્લા પ્રશાસને કહ્યું છે કે કોવિડ-19 મહામારીના ધ્યાને રાખીને પશુપાલકો, માંસ વિક્રેતાઓ અને પશુપાલન અધિકારીઓ માટે ચિંતાનો વિષય છે. આ સંબંધે સમયસર સાવધાની રાખવી પડશે. કારણ કે, તેનો કોઈ વિશેષ કે ઉપયોગી સારવાર નથી. આ વાઈરલ બિમારી એક વિશેષ પ્રકારની ઈતરડીના માધ્યમથી એક પશુમાંથી બીજા પશુઓમાં ફેલાય છે. સંક્રમિત પશુઓના લોહીથી અને તેનું માંસ ખાધા બાદ આ મનુષ્યના શરીરમાં ફેલાય છે. જો સમય ઉપર રોગની જાણકારી નથી મળતી અને સમય ઉપર સારવાર નથી થતી તો 50 ટકા દર્દીઓના મોત થઈ શકે છે.
જો કોન્ગો ફીવર થાય તે માણસનું માથુ દુખે, તાવ આવે, પીઠમાં અને સાંધામાં દુખાવો થાય, પેટમાં દુખે અને ઉલટીઓ થતી હોય છે. આખો લાલ થઈ જાય, નાકમાંથી લોહી નીકળે છે. આ ઈન્ફેક્શનમાંથી રિકવરી ખૂબ જ ઓછી છે.