Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્ર ભાજપા વડાની શિવસેનાના 'સામના'માં વપરાયેલી ભાષા સામે નારાજી

મહારાષ્ટ્ર ભાજપા વડાની શિવસેનાના 'સામના'માં વપરાયેલી ભાષા સામે નારાજી

03 January, 2021 11:32 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્ર ભાજપા વડાની શિવસેનાના 'સામના'માં વપરાયેલી ભાષા સામે નારાજી

મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ

મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ


મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદક રશ્મિ ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં ભાજપના નેતાઓ માટે અખબારમાં ઉપયોગમાં લેવામાં આવતી ભાષા અંગે નિરાશા વ્યક્ત કરી છે.

 પાટિલે તેમના પત્રમાં લખ્યું છે કે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના અન્ય રાષ્ટ્રીય નેતાઓ અને મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ માટે વપરાયેલી ભાષાને કારણે મારે તમને આ પત્ર લખવો પડે છે. સંપાદક હોવાના કારણે તમે તમારા અખબારમાં વપરાયેલી સામગ્રી અને ભાષા માટે જવાબદાર છો."



તેમણે ઉમેર્યું છે કે, "હું એક વ્યક્તિ તરીકે તમને ખૂબ જ સારી રીતે જાણું છું અને મને ખાતરી છે કે તમને પણ આવી ભાષાનો ઉપયોગ કરવાનો કોઇ શોખ નથી."


ચંદ્રકાંત પાટિલે રશ્મિ ઉદ્ધવ ઠાકરેને ભાજપના નેતાઓ માટે તેમના મુખપત્રક સામનામાં ઉપયોગમાં લેવાતી ભાષા પર ફરીથી વિચાર કરવા વિનંતી કરી હતી.

"જો તમને લાગે કે મારી વિનંતી બરાબર નથી અને તમારા મુખપત્રમાં વપરાયેલી ભાષા યોગ્ય છે તો તમે તેનો ઉપયોગ ખુશીથી કરી શકો છો," તેમણે પોતાના પત્રમાં ઉમેર્યું  હતું.


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2021 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK