Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમેઠીમાં આગ લાગી તો બાલ્ટીમાં પાણી લઈને બુઝાવવામાં લાગ્યા સ્મૃતિ ઈરાની

અમેઠીમાં આગ લાગી તો બાલ્ટીમાં પાણી લઈને બુઝાવવામાં લાગ્યા સ્મૃતિ ઈરાની

28 April, 2019 06:13 PM IST | અમેઠી

અમેઠીમાં આગ લાગી તો બાલ્ટીમાં પાણી લઈને બુઝાવવામાં લાગ્યા સ્મૃતિ ઈરાની

સ્મૃતિએ અમેઠીમાં નિભાવી ફાયર ફાયટરની ભૂમિકા

સ્મૃતિએ અમેઠીમાં નિભાવી ફાયર ફાયટરની ભૂમિકા


લોકસભા 2019માં અમેઠીમાં કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત કરવાનો સંકલ્પ લઈને ઉતરેલા સ્મૃતિ ઈરાનીએ આજે આ વિસ્તાર સાથેનું પોતાનું જોડાણ પણ બતાવી દીધું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સામે મેદાનમાં ઉતરેલા સ્મૃતિ ઈરાનીએ આજે પોતાના પ્રચાર દરમિયાન ફાયર ફાઈટરની ભૂમિકા નિભાવી.




સ્મૃતિ ઈરાની આજે અમેઠીમાં પોતાના પ્રચાર કાર્યક્રમમાં હતા. એ વચ્ચે જ તેમને મુંશીગંજના પશ્ચિમ દુઆરા ગામમાં આગ લાગવાની સૂચના મળી. એ બાદ તેઓ સક્રિય થઈ થયા. તેઓ પોતાની ટીમ સાથે આગ બુઝાવવામાં લાગી ગયા. ત્યાં પહોંચ્યા અને આગ બુઝાવવામાં મદદ કરી. એ સમયે તેમણે ગ્રામીણોનું દુઃખ પણ જાણ્યું. કેંદ્રીય મંત્રીએ જિલ્લાધિકારીની સાથે ફાયર બ્રિગેડને ફોન કર્યો.


આ પણ વાંચોઃ PM પદ માટે શરદ પવારે જણાવ્યા ત્રણ ઉમેદવાર, રાહુલનું ન લીધું નામ

જ્યારે આગ ગામ સુધી પહોંચી ગઈ તો તેમણે હેન્ડ પંપ ચલાવીને બાલ્ટીઓમાં પાણી ભર્યું અને આગ બુઝાવવામાં મદદ કરી. તેમની સાથે સ્થાનિક અધિકારીઓની સાથે ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા. પોતાનું બધું નજર સામે તબાહ થતું જોઈ ગામની મહિલાઓ સ્મૃતિને ભેટીને રડવા લાગ્યા. ત્યારે સ્મૃતિએ તેમના શાંત્વના આપી અને SDMને ફોન કરીને તાત્કાલિક મોકા પર પહોંચીને પીડિતોને રાહત અપાવવાના નિર્દશો આપ્યા.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2019 06:13 PM IST | અમેઠી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK