Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નૉન-વેજને તિલાંજલિ આપવાનો સમય દૃઢતા સાથે નજીક આવી રહ્યો છે

નૉન-વેજને તિલાંજલિ આપવાનો સમય દૃઢતા સાથે નજીક આવી રહ્યો છે

17 May, 2020 07:16 PM IST | Mumbai Desk
Manoj Joshi | manoj.joshi@mid-day.com

નૉન-વેજને તિલાંજલિ આપવાનો સમય દૃઢતા સાથે નજીક આવી રહ્યો છે

મિડ-ડે લોગો

મિડ-ડે લોગો


આમ પણ આ દિવસોમાં નૉન-વેજ ખાવાનું બન્યું નહીં હોય અને બન્યું હોય તો પણ જવલ્લેજ બન્યું હશે. નિયમિત રીતે નૉન-વેજ ખાનારાઓને શરૂઆતમાં તકલીફ પડી હશે અને પછી વેજિટેરિયનની આદત પણ પડી ગઈ હશે. આ જે આદત છે એ આદત જ દર્શાવે છે કે હવે સમય આવી ગયો છે ખાનપાનની માનસિકતા બદલવાનો અને એ નવી માનસિકતા સાથે જીવનને એક નવા દૃષ્ટિકોણથી જોવાનો.

કોરોનાએ એક વાત સમજાવી દીધી છે કે જો નૉન-વેજ ખાવાથી કેવી વિ‌પરીત અવદશા સર્જાઈ શકે છે અને એ અવદશા વચ્ચે જીવન કેવું વિકરાળ રૂપ લઈ લે છે. કોરોનાનો જન્મ કોઈ લૅબોરેટરીમાં નહોતો થયો એવું સાદું ગણિત જો તમે ફૉલો કરો તો તમને સીધો જવાબ મળે કે તો આ વાઇરસ નૉન-વેજમાંથી આવ્યો છે. આ અગાઉ પણ અનેક વાઇરસ નૉન-વેજ ફૂડને કારણે માનવસમુદાયમાં આવ્યા છે. એક ડૉક્યુમેન્ટરીમાં કહેવામાં આવ્યું હતું કે રંધાયેલો નૉન-વેજ ખોરાક વાઇરસનો વાહક નથી હોતો, પણ એ રંધાય એ પહેલાંની જે આખી જર્ની છે, સફર છે એ દરમ્યાન વાઇરસ માનવસમુદાયમાં દાખલ થાય છે. કોરોનાએ ખાનપાનની આદત બદલવા માટે સમજાવવાનું શરૂ કર્યું છે તો સાથોસાથ એ પણ સમજાવ્યું છે કે માણસ અને પ્રાણી ક્યારેય એકબીજાના ખોરાક ન બનવા જોઈએ.
જાનવર માણસનો સ્વીકાર ન કરે એને માટેની સજાગતા માનવસમુદાયમાં આવી ગઈ છે અને માનવભક્ષી બની ગયેલાં પ્રાણીઓને મારી નાખવાની સુધ્ધાં તૈયારી આપણે કરી લીધી છે. તૈયારી શું, આપણે એ જ પગલું ભરીએ છીએ. જો માનવભક્ષી જાનવર સમાજ માટે જોખમકારી છે તો નૅચરલી, આ જ વાત માનવસમુદાયને પણ લાગુ પડે. નૉન-વેજનો સંપૂર્ણ વિરોધ કરવામાં આવી રહ્યો છે એવું કહેવાને બદલે હું કહીશ કે ગેરવાજબી રીતે નૉન-વેજને આરોગવાનું છોડવું જોઈએ. કોઈના ખાનપાન પર નાહકની ચોવટ કરવાની ભાવના નથી. જો વેજિટેરિયન રહેશો તો એ તમારા હિતમાં છે, લાભમાં છે અને જો નહીં રહી શકો તો એ તમારી ચિંતા છે, પણ ચાઇનાની જેમ છાકટા બનીને નૉન-વેજિટેરિયન બની જવું એ તો બિલકુલ ગેરવાજબી છે. કોરોના જો પ્રાણીઓમાંથી આવ્યો હોય તો એ કેવી રીતે આવ્યો હોય એની અનેક વાતો થઈ ગઈ છે એટલે એ ચર્ચા નથી કરવી પણ, જો એવી આદત કોઈએ કેળવી લીધી હોય તો એ આદત કાઢવાનો સમય આવી ગયો છે. થોડા સમય પહેલાં મલેશિયાના એક ન્યુઝપેપરમાં બહુ સરસ ન્યુઝ આવ્યા હતા. એમાં લખ્યું હતું કે ઇન્ડિયન જૈન કમ્યુનિટીની ફૂડ-હેબિટ, ફૂડિંગ સ્ટાઇલ અને પૅટર્ન વર્લ્ડમાં બેસ્ટ છે. કોઈએ પણ એ પૅટર્ન અને સ્ટાઇલને ફૉલો કરવી જોઈએ. વાત બિલકુલ બરાબર છે. તમે જુઓ, જૈન ક્યારેય કોઈ મહામારીમાં અટવાયા નથી. જૈનોમાં ભાગ્યે જ કૅન્સર જેવી બીમારી જોવા મળે છે. કારણ શું, માત્ર તેમની ફૂડ-પૅટર્ન, સ્ટાઇલ અને આદત. જો પાળી શકો તો એ આદતોને કેળવીને એની અમલવારી શરૂ કરો. જીવનમાં તકલીફ હશે, પણ વણનોતરી તકલીફ નહીં હોય એની ગૅરન્ટી હું તમને આપું છું.


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2020 07:16 PM IST | Mumbai Desk | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK