Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે ભાંડુપ-મુલુંડમાં વીજ ઉપકરણો લોડમાં ફેરફારને કારણે બગડશે નહીં

હવે ભાંડુપ-મુલુંડમાં વીજ ઉપકરણો લોડમાં ફેરફારને કારણે બગડશે નહીં

01 November, 2011 07:47 PM IST |

હવે ભાંડુપ-મુલુંડમાં વીજ ઉપકરણો લોડમાં ફેરફારને કારણે બગડશે નહીં

હવે ભાંડુપ-મુલુંડમાં વીજ ઉપકરણો લોડમાં ફેરફારને કારણે બગડશે નહીં




ઓછા-વધતા વીજળીના દબાણને કારણે મહાવિતરણનાં વીજ-વિતરણનાં ઉપકરણો બગડી જાય છે એટલું જ નહીં; વીજળીના વપરાશકારોનાં ટીવી, ફ્રિજ, કમ્પ્યુટર સહિત અનેક ઇલેક્ટ્રિક આઇટમો પણ શૉર્ટસર્કિટ થવાને કારણે બગડી જવાના બનાવમાં વધારો થયો છે. એના પર નિયંત્રણ લાવવા માટે મહાવિતરણ કંપનીએ કૅપેસિટર બૅકનો સહારો લીધો છે. ભાંડુપ પરિમંડળમાં આવતાં ભાંડુપ, મુલુંડ, થાણે સહિત વાશીમાં મહાવિતરણ કૅપેસિટર બૅક ઊભું કરવાની છે. મુલુંડ-વેસ્ટમાં સર્વોદય નગરમાં કૅપેસિટર બૅક બેસાડવામાં આવ્યું છે, જેને કારણે મુલુંડ વિસ્તારમાં નાગરિકોને અત્યારે યોગ્ય દબાણથી વીજપુરવઠો થઈ રહ્યો છે અને સાથે જ કૅપેસિટર બૅકના ઇક્વિપમેન્ટને કારણે વીજગળતરમાં ઘટાડો થયો છે. આ ઇક્વિપમેન્ટ બેસાડવા માટે ૪૦ લાખ રૂપિયાનો ખર્ચ મહાવિતરણને થયો છે, પણ વીજળીના ગળતરમાં થયેલા ઘટાડાને જોતાં હવે થાણે શહેરમાં આવાં ઇક્વિપમેન્ટ બેસાડવાનો નિર્ણય મહાવિતરણે લીધો છે. નવેમ્બરના અંત સુધીમાં અહીં કૅપેસિટર બૅક બેસાડવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2011 07:47 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK