મોદી હવે વડા પ્રધાનપદની રેસમાં? બીજેપીએ જવાબ આપવાનું ટાળ્યું
જોકે કાલે જ્યારે બીજેપીના પ્રવક્તા રવિશંકર પ્રસાદને પૂછવામાં આવ્યું કે શું પાર્ટી મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરશે? ત્યારે સીધો જવાબ આપવાનું ટાળતાં રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ‘મોદીભાઈ હંમેશાં પાર્ટીના મહત્વના નેતા રહ્યા છે, પણ અમારી પાર્ટીમાં કોઈ પરિવારવાદ નથી. અમારી પાર્ટી સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલે છે.’ કૉન્ગેસનું નામ લીધા વિના પ્રસાદે કહ્યું હતું કે ‘યુવરાજ (રાહુલ ગાંધી)ના નેતૃત્વમાં ચાલતી પાર્ટી જેવી નથી. અમારી પાર્ટીમાં વડા પ્રધાનપદને લાયક અનેક નેતાઓ છે અને અમને તેનો ગર્વ છે.’