Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સંજય રાઠોડની જેમ ધનંજય મુંડેનું પણ રાજીનામું લેવાવું જોઈએ : પંકજા મુંડે

સંજય રાઠોડની જેમ ધનંજય મુંડેનું પણ રાજીનામું લેવાવું જોઈએ : પંકજા મુંડે

02 March, 2021 08:23 AM IST | Mumbai
Mid-day Correspondent

સંજય રાઠોડની જેમ ધનંજય મુંડેનું પણ રાજીનામું લેવાવું જોઈએ : પંકજા મુંડે

પંકજા મુંડે

પંકજા મુંડે


પૂજા ચવાણ કેસ સંદર્ભે પ્રતિક્રિયા આપતાં બીજેપીનાં નેતા પંકજા મુંડેએ નારાજગી દર્શાવીને ગઈ કાલે કહ્યું હતું કે ‘માત્ર ને માત્ર સરકાર ટકાવવા માટે ખોટી બાબતોને છાવરવામાં આવે છે એ યોગ્ય નથી. સંજય રાઠોડનું જે રીતે રાજીનામું મગાયું અને એ લેવામાં જે ઢીલ દર્શાવાઈ એ બરાબર નથી. આપણે આપણા રાજ્યને પ્રોગ્રેસિવ કહીએ છીએ, પણ રાજકારણીઓ દ્વારા જે ઉદાહરણો આવનારી પેઢી માટે પ્રસ્થાપિત થઈ રહ્યાં છે એ કમનસીબી છે.’

ત્યાર બાદ પંકજા મુંડેએ થોડા દિવસ પહેલાં ધનજંય મુંડે સામે રેણુ શર્મા અને કરુણા શર્માએ કરેલા ગંભીર આરોપો બદલ તેમનું રાજીનામું પણ લેવાવું જોઈએ એવી ડિમાન્ડ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2021 08:23 AM IST | Mumbai | Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK