સંજય રાઠોડની જેમ ધનંજય મુંડેનું પણ રાજીનામું લેવાવું જોઈએ : પંકજા મુંડે
પંકજા મુંડે
પૂજા ચવાણ કેસ સંદર્ભે પ્રતિક્રિયા આપતાં બીજેપીનાં નેતા પંકજા મુંડેએ નારાજગી દર્શાવીને ગઈ કાલે કહ્યું હતું કે ‘માત્ર ને માત્ર સરકાર ટકાવવા માટે ખોટી બાબતોને છાવરવામાં આવે છે એ યોગ્ય નથી. સંજય રાઠોડનું જે રીતે રાજીનામું મગાયું અને એ લેવામાં જે ઢીલ દર્શાવાઈ એ બરાબર નથી. આપણે આપણા રાજ્યને પ્રોગ્રેસિવ કહીએ છીએ, પણ રાજકારણીઓ દ્વારા જે ઉદાહરણો આવનારી પેઢી માટે પ્રસ્થાપિત થઈ રહ્યાં છે એ કમનસીબી છે.’
ત્યાર બાદ પંકજા મુંડેએ થોડા દિવસ પહેલાં ધનજંય મુંડે સામે રેણુ શર્મા અને કરુણા શર્માએ કરેલા ગંભીર આરોપો બદલ તેમનું રાજીનામું પણ લેવાવું જોઈએ એવી ડિમાન્ડ કરી હતી.