કસાબનો બદલો લેવા ભારત પર હુમલાની તોયબાની ધમકી
મુંબઈ : તા. 21 નવેમ્બર
ADVERTISEMENT
મુંબઈ હુમલાના દોષી ત્રાસવાદી અજમલ આમિર કસાબને આપવામાં આવેલી ફાંસીથી હતપ્રભ બનેલા લશ્કર-એ-તોયબાએ ભારતમાં વધુ ત્રાસવાદી હુમલાઓને અંજામ આપીને કસાબની મોતનો બદલો લેવાની ધમકી ઉચ્ચારી હતી.
ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તોયબાએ અજમલ આમિર કસાબને હીરો ગણાવતા કહ્યું હતું કે તે કસાબ જેવા અનેક યુવાનોને ભારત પર હુમલાઓ કરવાનું પ્રશિક્ષણ પુરૂ પાડશે અને ભારત દ્વારા લેવામાં આવેલા પલગાનો બદલો લેશે. આ ત્રાસવાદી સંગઠને તો ત્યાં સુધી કહી દીધું હતું કે કસાબ જેહાદના માર્ગે ચાલનારાઓ માટે એક પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
લશ્કના કમાંડરે ત્રાસવાદી અજમલ આમિર કસાબને ભારત દ્વારા આજે સવારે 7:30 વાગ્યે ફાંસી આપ્યા બાદ એક સમાચાર એજન્સીને ફોન કરીને ઉપરોક્ત પ્રકારે ધમકી આપી હતી.
બીજી તરફ મુંબઈ હુમલાના એકમાત્ર જીવિત્ર ત્રાસવાદી કસાબને ફાંસી આપતા પાકિસ્તાની તાલીબાને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
જોકે કસાબ મામલે પાકિસ્તાને એક પણ હરફ ઉચ્ચારતા મૌન સેવ્યું હતું.