ગુજરાત કૉન્ગ્રેસના ચીફ અજુર્ન મોઢવાડિયાએ મોદીને વાંદરા અને હડકાયા કૂતરા સાથે સરખાવ્યા પછી ગઈ કાલે કૉન્ગ્રેસના સિનિયર નેતા મણિશંકર ઐયરે મોદીને લહુપુરૂષ ગણાવી દીધા હતા. આ સાથે ઐયરે મોદી પર અમેરિકાને ફાયદો પહોંચાડવાનો પણ આરોપ મૂક્યો હતો. ઐયરે કહ્યું હતું કે મોદી દાવો કરે છે એટલો ગુજરાતનો વિકાસ થયો નથી. મોદી અમેરિકી કંપનીને ડૉલરમાં પેમેન્ટ કરતા હોવાનું જણાવતાં ઐયરે તેમને અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી ચૂંટણી જીતી બતાવવાનો પડકાર ફેંકયો હતો. ઐયરનાં નિવેદનો વિશે પ્રતિક્રિયા આપતાં બીજેપીના નેતા પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે અહીંના (ગુજરાતના) નેતાઓ કરતાં દિલ્હીના કૉન્ગ્રેસના નેતાઓ મોદીને સવાઈ ગાળો આપે છે. રૂપાલાએ કૉન્ગ્રેસના નેતાઓને દિવાળીનું પર્વ કલુષિત નહીં કરવાની અપીલ કરી હતી.
આસામમાં વડા પ્રધાને એક લાખ સ્થાનિકોને જમીન પટ્ટા આપવાનું ઉદ્ઘાટન કર્યું
24th January, 2021 12:27 ISTવડા પ્રધાને પશ્ચિમ બંગાળમાં વિક્ટોરિયા મેમોરિયલ હૉલમાં પરાક્રમ સમારોહનું ઉદ્ઘાટન કર્યું
24th January, 2021 12:20 ISTપશ્ચિમ બંગાળ: BJP અને TMC કાર્યકરો વચ્ચે ઘર્ષણ, અનેક વાહનોમાં લગાવી આગ
23rd January, 2021 14:58 ISTકોરોના વૅક્સિન માટે કોઈ ભય કે ગેરસમજ ન રાખોઃ વડા પ્રધાન
23rd January, 2021 14:24 IST