બદલાપુરમાં કચ્છીની આત્મહત્યા
પ્રતીકાત્મક તસવીર
બદલાપુર-ઈસ્ટના કાત્રપ ખાતે આવેલા અષ્ટવિનાયક કૉમ્પ્લેક્સના ગુરુદેવ બિલ્ડિંગમાં રહેતા ૪૫ વર્ષના કચ્છી વીસા ઓશવાળ જ્ઞાતિના પીયૂષ હેમરાજ ગડાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. ગઈ કાલે સવારે ૮.૩૦ વાગ્યે તેનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. બદલાપુર પોલીસને આ બાબતની જાણ થતાં ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને તપાસ કરી મૃતદેહનો તાબો લીધો હતો.
બદલાપુર પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર બી. કે. સોનાવણેએ કહ્યા મુજબ ‘તેમની પાસેથી સુસાઇડ-નોટ મળી આવી હતી, જેમાં તેણે આ અંતિમ પગલું કૌટુંબિક વિખવાદના પગલે લીધું હોવાનું જણાવ્યું હતું. પણ એ બદલ કોઈ ચોક્કસ વ્યક્તિને જવાબદાર ઠેરવી નહોતી. પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી કેસની તપાસ ચાલુ કરી હતી.’