Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બદલાપુરમાં કચ્છીની આત્મહત્યા

બદલાપુરમાં કચ્છીની આત્મહત્યા

04 September, 2020 01:23 PM IST | Mumbai
Mumbai correspondent

બદલાપુરમાં કચ્છીની આત્મહત્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બદલાપુર-ઈસ્ટના કાત્રપ ખાતે આવેલા અષ્ટવિનાયક કૉમ્પ્લેક્સના ગુરુદેવ બિલ્ડિંગમાં રહેતા ૪૫ વર્ષના કચ્છી વીસા ઓશવાળ જ્ઞાતિના પીયૂષ હેમરાજ ગડાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. ગઈ કાલે સવારે ૮.૩૦ વાગ્યે તેનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. બદલાપુર પોલીસને આ બાબતની જાણ થતાં ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને તપાસ કરી મૃતદેહનો તાબો લીધો હતો.
બદલાપુર પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર બી. કે. સોનાવણેએ કહ્યા મુજબ ‘તેમની પાસેથી સુસાઇડ-નોટ મળી આવી હતી, જેમાં તેણે આ અંતિમ પગલું કૌટુંબિક વિખવાદના પગલે લીધું હોવાનું જણાવ્યું હતું. પણ એ બદલ કોઈ ચોક્કસ વ્યક્તિને જવાબદાર ઠેરવી નહોતી. પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી કેસની તપાસ ચાલુ કરી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2020 01:23 PM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK