કુંભમેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા ઑસ્ટ્રેલિયન બાબા
ઓસ્ટ્રેલિયન બાબા શરભંગગિરી
અલાહાબાદમાં ચાલી રહેલા કુંભમેળામાં માત્ર ભારતીયો જ નહીં, દુનિયાભરના લોકો ભાગ લેવા માટે આવી રહ્યા છે. કુંભમેળામાં સાધુસંતો બહુ મોટી સંખ્યામાં આવતા હોય છે. આ સાધુસંતોમાં પણ આ વખતે એક ઑસ્ટ્રેલિયન બાબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને તેમનું નામ છે શરભંગગિરિ. આ બાબા ૧૯૯૮માં પહેલી વાર ટૂરિસ્ટ તરીકે ઑસ્ટ્રેલિયાથી ખાસ કુંભમેળો જોવા આવ્યા હતા. તેમણે સાંભળેલું કે આ દુનિયાનો સૌથી મોટો ધાર્મિક ફેસ્ટિવલ છે. એ પહેલાં તેઓ એથિસ્ટ હતા. અહીં આવીને તેઓ ગિરનારની તળેટીમાં ગુરુ દત્તાત્રેયને મYયા. તેમને ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને સાધુ જીવનશૈલી આકર્ષી ગઈ. મેલબર્ન છોડીને શરભંગગિરિએ સંન્યાસ લઈ લીધો અને ત્યારથી સાધુની જેમ કુટિરમાં જીવન ગાળે છે.