Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મમતાની અત્યાચારી સરકારનો મૃત્યુઘંટ વાગ્યો છે : અમિત શાહ

મમતાની અત્યાચારી સરકારનો મૃત્યુઘંટ વાગ્યો છે : અમિત શાહ

06 November, 2020 01:08 PM IST | Kolkata
Agency

મમતાની અત્યાચારી સરકારનો મૃત્યુઘંટ વાગ્યો છે : અમિત શાહ

વિવિસન હંસદાના ઘરે બંગાળી ભોજનનો આસ્વાદ લેતા અમિત શાહ. (તસવીર : પી.ટી.આઈ)

વિવિસન હંસદાના ઘરે બંગાળી ભોજનનો આસ્વાદ લેતા અમિત શાહ. (તસવીર : પી.ટી.આઈ)


ગૃહપ્રધાન અમિત શાહના પશ્ચિમ બંગાળના પ્રવાસની શરૂઆત થઈ ચૂકી છે. ખાસ વાત એ છે કે ગૃહપ્રધાનના આ પ્રવાસને આવતા વર્ષે રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીની શરૂઆત માનવામાં આવી રહી છે. અમિત શાહે પહેલા દિવસે બિરસા મુંડાની મૂર્તિને પુષ્પાંજલિ અર્પીત કરી હતી. આ દરમિયાન તેઓએ મમતા સરકાર પર ગરીબો સુધી યોજનાઓનો ફાયદો નહીં પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ ચતુર્ડિહી ગામ જશે, જ્યાં તેઓ આદિવાસી પરિવારને ત્યાં ભોજન લેશે. શુક્રવારે પણ અમિત શાહ મટુઆ સમુદાયના પરિવાર સાથે ભોજન કરશે.

બિરસા મુંડાની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ અમિત શાહે કહ્યું કે ‘પશ્ચિમ બંગાળમાં મમતા સરકારની વિરુદ્ધ લોકોમાં નારાજગી છે, જે રીતે દમનચક્ર બીજેપી કાર્યકરો પર મમતા સરકારે ચલાવ્યું છે, હું નિશ્ચિત રીતે જોઈ રહ્યો છું કે મમતા સરકારનો મૃત્યુઘંટ વાગી ગયો છે.’



અમિત શાહે કહ્યું કે ‘બંગાળના યુવાનોને નોકરી મળી રહે એ માટે અને બંગાળના ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢવા માટે મમતા સરકારે ઉખાડીને ફેંકી દો.’


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2020 01:08 PM IST | Kolkata | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK