ફાંસીએ ચડાવાની ૬ મિનિટ પછી ગયો હતો કસબનો જીવ
કસબ સહિત તમામ આતંકવાદીઓને લશ્કર-એ-તય્યબાએ ભારે તાલીમ આપી હતી જેમાં ૧૦થી ૧૫ મિનિટ સુધી શ્વાસ રોકી રાખવાનું પણ શીખવવામાં આવ્યું હતું. એટલે જ તેને ફાંસી આપ્યા પછી પણ તેના પ્રાણ જતાં લગભગ ૬ મિનિટ લાગી હતી.
યેરવડા જેલનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે ‘કસબને સવારે ૭.૩૦ વાગ્યે ફાંસી આપવામાં આવી હતી અને એની ૬ મિનિટ પછી તેનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ દસ મિનિટ રહીને તેને માંચડા પરથી ઉતારવામાં આવ્યો હતો અને ૭.૪૫ વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ફાંસી પર ચડાવાની બે મિનિટની અંદર જ પ્રાણ નીકળી જતો હોય છે, પણ કસબના પ્રાણ જતાં ૬ મિનિટ લાગી હતી.’