Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગરીબો દાળની સાથે શાકભાજી પણ ખાવા લાગ્યા છે એટલે મોંઘવારી વધી

ગરીબો દાળની સાથે શાકભાજી પણ ખાવા લાગ્યા છે એટલે મોંઘવારી વધી

23 November, 2013 08:46 AM IST |

ગરીબો દાળની સાથે શાકભાજી પણ ખાવા લાગ્યા છે એટલે મોંઘવારી વધી

ગરીબો દાળની સાથે શાકભાજી પણ ખાવા લાગ્યા છે એટલે મોંઘવારી વધી







અનાજ, શાકભાજીના આસામાને આંબી ગયેલા ભાવને કારણે લોકો ત્રસ્ત છે ત્યારે કેન્દ્ર સરકારના માણસો લોકોના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કરી રહ્યા છે. કેન્દ્રના કાયદાપ્રધાન અને કૉન્ગ્રેસના સિનિયર નેતા કપિલ સિબલે અત્યંત બેજવાબદારીભર્યું નિવેદન આપતાં ગઈ કાલે કહ્યું હતું કે ગરીબોએ દાળની સાથે શાકભાજી પણ ખાવાનું શરૂ કરતાં મોંઘવારી વધી છે.

ગઈ કાલે ગ્વાલિયરમાં પત્રકારોની સાથે વાત કરતી વખતે સિબલે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. મોંઘવારીમાં વધારો થવા પાછળનું વિચિત્ર કારણ આપતાં સિબલે કહ્યું હતું કે પહેલાં ગરીબો માત્ર દાળ-રોટી ખાતા હતા, પણ હવે તેમણે શાકભાજી પણ ખાવાનું શરૂ કર્યું છે. એક તરફ ડિમાન્ડ વધી છે જ્યારે બીજી તરફ ઉત્પાદનમાં ઘટાડો થયો છે તેથી જ મોંઘવારીમાં વધારો થયો છે.

ગઈ કાલે ગ્વાલિયરમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યા પછી સિબલ જ્યારે જબલપુર પહોંચ્યા ત્યારે તેમણે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું હતું. તેમણે મોંઘવારી માટે રાજ્યની સરકારોને પણ જવાબદાર ગણાવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2013 08:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK