Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



No પંગા

10 September, 2020 08:03 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

No પંગા

કંગના VS શિવ સેના

કંગના VS શિવ સેના


‘તનુ વેડ્સ મનુ’ના ડિરેક્ટર આનંદ એલ. રાય અને પ્રોડ્યુસર શૈલેશ સિંહ, ‘સિમરન’ દ્વારા પહેલી વાર પ્રોડક્શન હાઉસ શરૂ કરનારા ડિરેક્ટર હંસલ મેહતા, ‘ક્વીન’ના ડિરેક્ટર વિકાસ બહલ અને જેની ફિલ્મ ‘પંગા’ સાઇન કરવાથી આખી ફિલ્મ ઊભી થઈ એ ડિરેક્ટર અશ્વિની ઐયર તિવારી સહિતના કેટલાક એવા ડિરેક્ટર-પ્રોડ્યુસરોએ શિવસેનાની બીકે કંગનાનો સાથ આપવાનું છોડી દીધું છે તો એક ટ્વીટ કરીને પણ કંગનાને સપોર્ટ આપવાની હિંમત આ કોઈએ કરી નથી. કંગનાએ ગઈ કાલે કરેલા સ્ટેટમેન્ટ્સમાં તો તેણે મહારાષ્ટ્રના સીએમ અને શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે સાથે જ સીધો પંગો લીધો છે. અફસોસની વાત એ છે કે કંગનાએ આ તમામને બૉલીવુડમાં એસ્ટૅબ્લિશ કરવામાં સિંહફાળો આપ્યો હતો, પણ આજે જ્યારે કંગનાની કફોડી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે આ પૈકીના કોઈએ કંગનાને સાથ આપવાનું કામ કર્યું નથી.
કંગનાની ટીમ સાથે જોડાયેલી એક વ્યક્તિએ ઑફ ધી રેકૉર્ડ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કંગનાએ પણ સામેથી કોઈને ફોન નથી કર્યા, પણ તે ફોનની રાહ જોતી હતી કે કોઈ સામેથી ફોન કરે. પણ અફસોસ કે કોઈએ કંગનાને ફોન નથી કર્યો.’
કંગનાની ચારથી વધારે ફિલ્મો લખી ચૂકેલા રાઇટર હિમાંશુ શર્મા સાથે પણ કંગનાને ખૂબ સારા સંબંધો છે. કંગનાને લીધે જ હિમાંશુ અને ઍક્ટ્રેસ સ્વરા ભાસ્કર બન્ને નજીક આવ્યાં હતાં પણ હિમાંશુ કે સ્વરા બેમાંથી કોઈએ પણ કંગનાનો કૉન્ટૅક્ટ કર્યો નથી. આવું થવા પાછળ જો કોઈ જવાબદાર હોય તો એ શિવસેના છે.
કંગના સાથે બે ફિલ્મ કરી ચૂકેલા એક પ્રોડ્યુસરે ઑફ ધી રેકૉર્ડ ‘મિડ-ડે’ને કહ્યું હતું, ‘કંગના સાથે અત્યારે જે કંઈ થાય છે એમાં હજી પણ ફીમેલ ફૅક્ટર કામ કરે છે. જો કંગનાની સાથે કોઈ પુરુષ ઉમેરાય તો કોઈ લેશમાત્ર શરમ નહીં રાખે. કંગના સાચી છે કે ખોટી એ પૉઇન્ટ નથી. પૉઇન્ટ એ છે કે કંગનાએ ખોટી રીતે આખા ઇશ્યુમાં સામેલ થઈ છે. આવું તેને કરવાની જરૂર નહોતી અને આવી બાબતમાં તેણે કોઈના સપોર્ટની અપેક્ષા રાખવી પણ યોગ્ય નથી.’
કંગનાને ગઈ કાલે ત્રણ વખત ‘મિડ-ડે’એ ફોન કર્યો, પણ તેનો મોબાઇલ સતત ઍરોપ્લેન મોડમાં હતો અને તે વાઇફાઇથી કનેક્ટ રહી હતી. કંગનાની બહેન અને તેની મૅનેજર રંગોલી ચંડેલે કોઈ પણ પ્રકારની કમેન્ટ કરવાની ના પાડી દીધી હતી.
કંગનાના ઍડ્વોકેટ રિઝવાન સિદ્દીકીએ કહ્યું હતું કે ‘અસત્યને સૌની જરૂર પડે. કંગનાની વાત ક્યાંય ખોટી નથી એટલે તેને કોઈની જરૂર નથી.’


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2020 08:03 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK