Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મિડ-ડે ઇમ્પેક્ટ : કાંદિવલીની પોસ્ટ-ઑફિસમાં ૧૮ કર્મચારીઓની ભરતી થઈ

મિડ-ડે ઇમ્પેક્ટ : કાંદિવલીની પોસ્ટ-ઑફિસમાં ૧૮ કર્મચારીઓની ભરતી થઈ

04 November, 2011 09:09 PM IST |

મિડ-ડે ઇમ્પેક્ટ : કાંદિવલીની પોસ્ટ-ઑફિસમાં ૧૮ કર્મચારીઓની ભરતી થઈ

મિડ-ડે ઇમ્પેક્ટ : કાંદિવલીની પોસ્ટ-ઑફિસમાં ૧૮ કર્મચારીઓની ભરતી થઈ


 

પોસ્ટ-ઑફિસનું હૅન્ડલિંગ કરતા ડિપાર્ટમેન્ટ દ્વારા અહેવાલ આવ્યાના થોડા દિવસ પછી ૧૮ કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. આટલા  લોકોની નિયુક્તિ કરવામાં આવ્યા પછી પણ પોસ્ટ-ઑફિસમાં કામ કરતા લોકોની સંખ્યા ઓછી છે. આને કારણે હજારો લેટર અને ડૉક્યુમેન્ટ્સના ઢગલા ઑફિસની બહાર અથવા તો અમુક વખત રસ્તા પર મૂકવા પડે છે.

ગોરાઈ, બોરીવલી-વેસ્ટ, કાંદિવલી-વેસ્ટ, મલાડ, માલવણી, મીઠચૌકી જેવા વિસ્તારો મોટી લોકવસ્તી ધરાવે છે. અહીં લેટરોના ઢગલાઓ પડ્યા રહેતા હતા. કાંદિવલીની પોસ્ટ-ઑફિસમાં આ પત્રો લોકો સુધી પહોંચાડવા માટેનો સ્ટાફ ન હોવાને કારણે હાલમાં ઑફિસની ખરાબ પરિસ્થિતિ છે. પોતાના પત્ર સમયસર મળતા ન હોવાથી સ્થાનિક લોકો હેરાન થઈ ગયા છે. કાંદિવલી-વેસ્ટમાં લાલચંદ ભવનની જૂની ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ૧૦૦૦ સ્ક્વેર મીટરની જગ્યાએ પોસ્ટ-ઑફિસ છે. આ ઑફિસને ૧૯ વર્ષની લીઝ પર લેવામાં આવી છે, પરંતુ કર્મચારીઓની અછતને કારણે લોકોને પોતાના પત્રો સમયસર મળતા જ નહોતા. અમુક વાર તો પત્રો સમયસર ન મળવાને કારણે લોકોને ઘણું નુકસાન થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2011 09:09 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK