પોસ્ટ-ઑફિસનું હૅન્ડલિંગ કરતા ડિપાર્ટમેન્ટ દ્વારા અહેવાલ આવ્યાના થોડા દિવસ પછી ૧૮ કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. આટલા લોકોની નિયુક્તિ કરવામાં આવ્યા પછી પણ પોસ્ટ-ઑફિસમાં કામ કરતા લોકોની સંખ્યા ઓછી છે. આને કારણે હજારો લેટર અને ડૉક્યુમેન્ટ્સના ઢગલા ઑફિસની બહાર અથવા તો અમુક વખત રસ્તા પર મૂકવા પડે છે.
ગોરાઈ, બોરીવલી-વેસ્ટ, કાંદિવલી-વેસ્ટ, મલાડ, માલવણી, મીઠચૌકી જેવા વિસ્તારો મોટી લોકવસ્તી ધરાવે છે. અહીં લેટરોના ઢગલાઓ પડ્યા રહેતા હતા. કાંદિવલીની પોસ્ટ-ઑફિસમાં આ પત્રો લોકો સુધી પહોંચાડવા માટેનો સ્ટાફ ન હોવાને કારણે હાલમાં ઑફિસની ખરાબ પરિસ્થિતિ છે. પોતાના પત્ર સમયસર મળતા ન હોવાથી સ્થાનિક લોકો હેરાન થઈ ગયા છે. કાંદિવલી-વેસ્ટમાં લાલચંદ ભવનની જૂની ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ૧૦૦૦ સ્ક્વેર મીટરની જગ્યાએ પોસ્ટ-ઑફિસ છે. આ ઑફિસને ૧૯ વર્ષની લીઝ પર લેવામાં આવી છે, પરંતુ કર્મચારીઓની અછતને કારણે લોકોને પોતાના પત્રો સમયસર મળતા જ નહોતા. અમુક વાર તો પત્રો સમયસર ન મળવાને કારણે લોકોને ઘણું નુકસાન થાય છે.
બાપ-દાદાની મિલકત કે ગડા ઇલેક્ટ્રૉનિક્સ કોની પસંદગી કરશે જેઠાલાલ
2nd March, 2021 14:27 ISTCONFIRMED: કાર્તિક આર્યને આપ્યા બ્રેકિંગ ન્યૂઝ, નેટફ્લિક્સ પર કરશે 'ધમાકા'
2nd March, 2021 12:26 ISTTwitter કરશે કોવિડ વેક્સિન વિશે ખોટી સૂચના ફેલાવતા ટ્વિટ્સ વિરૂદ્ધ કાર્યવાહી
2nd March, 2021 11:36 ISTMumbai: સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરના બહારથી જ ભક્તોએ કર્યા બાપ્પાના દર્શન
2nd March, 2021 11:10 IST