Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જૂનાગઢઃ1 માર્ચે કૈલાશ ખૅર શિવરાત્રિના મેળામાં આપશે પર્ફોમન્સ

જૂનાગઢઃ1 માર્ચે કૈલાશ ખૅર શિવરાત્રિના મેળામાં આપશે પર્ફોમન્સ

24 February, 2019 01:15 PM IST | જૂનાગઢ

જૂનાગઢઃ1 માર્ચે કૈલાશ ખૅર શિવરાત્રિના મેળામાં આપશે પર્ફોમન્સ

કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર કરશે પર્ફોમન્સ

કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર કરશે પર્ફોમન્સ


4 માર્ચ એટલે કે આગામી સોમવારે મહાશિવરાત્રિની ઉજવણી થશે. એ પહેલા ગરવા ગિરનારની ગોદમાં 'મિની કુંભ' મેળો યોજાશે. જૂનાગઢમાં 26 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી આ મેળો ચાલશે. મેળા માટેના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. આ મિની કુંભમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ, સાધ્વી ઋતંભરાજી, સીએમ વિજય રૂપાણી હાજર રહેશે. તો ગાયક કૈલાશ ખેર, લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહિરના કાર્યક્રમ યોજાશે.

આ છે શિવરાત્રીના મિની કુંભનો આખો કાર્યક્રમ



26 ફેબ્રુઆરી
બપોરે 2 વાગે ભૂતનાથથી ભવનાથ મહાદેવ સુધી સંત યાત્રા



27 ફેબ્રુઆરી
સવારે 9 વાગે ધ્વજારોહણ
15 રુદ્રાક્ષનું શિવલિંગ પૂજન
સાંજે લેસર શૉ યોજાશે

28 ફેબ્રુઆરી
સાંજે 4 વાગે યોજાશે ડમરુ યાત્રા
સાંજે લેસર શો
રાત્રે યોજાશે લોકડાયરો


1 માર્ચ
યોગી આદિત્યનાથ, સીએમ વિજય રૂપાણી આપશે હાજરી
સાંજે બોલીવુડ સિંગર કૈલાશ ખેર આપશે પર્ફોમન્સ

2 માર્ચ
બપોરે 3 વાગે યોજાશે સાધ્વી ઋતુંભરાની ધર્મ સભા
સાંજે લેસર શૉનું આયોજન
રાત્રે કિર્તિદાન ગઢવીનો ડાયરો યોજાશે

3 માર્ચ
મોરારિ બાપુ અને અખાડાની ધર્મસભા
મહાઆરતી અને લેસર શૉ
ભીખુદાન ગઢવીનો ડાયરો

આ પણ વાંચોઃ જૂનાગઢઃ27 ફેબ્રુઆરીથી શરૂ થશે શિવરાત્રિનો મેળો

4 માર્ચ
લેસર શોનું આયોજન
રાત્રે યોજાશે હાથી, ઘોડા સાથે રવેડી
મોડી રાત્રે મૃગીકુંડમાં શાહી સ્નાન થશે.

Whatsapp-channel Whatsapp-channel

24 February, 2019 01:15 PM IST | જૂનાગઢ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK