Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જમ્મૂતાવી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં આતંકી હોવાની શંકાથી રોકવામાં આવી

જમ્મૂતાવી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં આતંકી હોવાની શંકાથી રોકવામાં આવી

12 May, 2019 06:00 PM IST |

જમ્મૂતાવી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં આતંકી હોવાની શંકાથી રોકવામાં આવી

સર્ચ ઓપરેશન હાથ ધરાયુ

સર્ચ ઓપરેશન હાથ ધરાયુ


જમ્મૂતાવી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં આતંકવાદી હોવાની સમાચાર મળતા ફિરોઝપુર કેન્ટ રેલવે સ્ટેશન પર ટ્રેનને રોકી દેવામાં આવી છે. ટ્રેન રોકતાની સાથે પોલીસ દ્વારા ટ્રેનના ડબ્બાઓ અને લોકોની તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસમાં જીઆરપી પણ સામેલ છે. જમ્મૂતાવી થી અમદાવાદ જતી ટ્રેનને રોકીને તપાસ કરાઈ જો કે કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે વસ્તુ મળી આવી નથી.

ટ્રેનમાં આતંકી કે કોઇ સંદિગ્ધ વસ્તુ હોવાની સુરક્ષા એજન્સીને મળી માહિતી



મળતી માહિતી અનુસાર પોલીસને ખાનગી જાણકારી મળી હતી કે જમ્મૂતાવી-અમદાવાદ એક્સપ્રેસમાં કોઈ આતંકી છુપાયેલા છે. જાણકારી બાદ તરત જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને ટ્રેનની તપાસ કરવામાં આવી રહી છે. ટ્રેનને ફિરોઝપુર કેન્ટથી નિકળે તે પહેલા તેની તપાસ કરવામાં આવી હતી. ખાનગી સુરક્ષા એજન્સીઓની માહિતી અનુસાર જમ્મૂતાવી-અમદાવાદ ટ્રેનમાં આતંકી કે કોઈ સંદિગ્ધ વસ્તુ હોઈ શકે છે. જો કે સર્ચ ઓપરેશનમાં કોઈ વસ્તું કે વ્યક્તિ મળી હતી માનવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ કોઈ પહેલાના સ્ટેશન પર ઉતરી હોઈ શકે છે.


તપાસમાં કઇ ન મળતા 20 મીનિટ બાદ ટ્રેનને રવાના કરી દેવાઇ હતી

આ ટ્રેનની 2 વાર સંપૂર્ણ પણે તપાસ કરવામાં આવી હતી. પહેલા આ ટ્રેનને 20 મિનિટ તપાસ હાથ ધરાઈ હતી ત્યારબાદ ફરી આ ટ્રેનની તપાસ કરાઈ હતી. સમાચાર મળતાની સાથે પોલીસ સાથે જીઆરપીનો મોટો કાફલો સ્ટેશન પર જોવા મળ્યો હતો. જો કે ફિરોઝપુર કેન્ટના પ્રભારીએ આ ચેકિંગને રુટિન ચેકઅપ ગણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2019 06:00 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK