Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પત્રકાર રવીશ કુમારને રેમન મૅગ્સેસે અવૉર્ડ એનાયત થયો

પત્રકાર રવીશ કુમારને રેમન મૅગ્સેસે અવૉર્ડ એનાયત થયો

03 August, 2019 09:29 AM IST | નવી દિલ્હી

પત્રકાર રવીશ કુમારને રેમન મૅગ્સેસે અવૉર્ડ એનાયત થયો

પત્રકાર રવીશ કુમાર

પત્રકાર રવીશ કુમાર


ભારતના પત્રકાર રવીશ કુમારને રેમન મૅગ્સેસે અવૉર્ડ ૨૦૧૯થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ અવૉર્ડને એશિયાનો નોબેલ પુરસ્કાર માનવામાં આવે છે. પ્રશસ્તિપત્રમાં ૪૪ વર્ષના કુમારને ભારતના સૌથી પ્રભાવી ટીવી-પત્રકારોમાંના એક ગણવામાં આવ્યા છે. તેઓ એનડીટીવી ઇન્ડિયાના સિનિયર કાર્યકારી સંપાદક છે.

તેમનું નામ એ પાંચ વ્યક્તિઓમાં સામેલ છે જેમને આ પુરસ્કારના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. પ્રશસ્તિપત્રમાં કહેવામાં આવ્યું છે કે કુમારના કાર્યક્રમ પ્રાઇમ ટાઇમ સામાન્ય લોકોની વાસ્તવિક, અગાઉ ન કહેવાયેલી સમસ્યાઓને ઉઠાવે છે. સાથોસાથ એમાં કહેવામાં આવ્યું છે કે જો તમે લોકોનો અવાજ બની ગયા છો તો જ તમે પત્રકાર છો.



આ પણ વાંચો : અયોધ્યા વિવાદમાં ન થઈ મધ્યસ્થી, 6 ઑગસ્ટથી સુપ્રીમમાં રોજ થશે સુનાવણી


આ વર્ષના રેમન મૅગ્સેસે અવૉર્ડના ચાર અન્ય વિજેતાઓમાં મ્યાનમારના કો સ્વે વિન, થાઇલૅન્ડની અંગખાના નીલાપાઇજિત, ફિલિપીન્સના રૈયમુંડો પુજંતે કાયાબાયએબી અને સાઉથ કોરિયાના કિમ જોંગ કી સામેલ છે. ૧૯૫૭માં શરૂ થયેલા આ પુરસ્કારને એશિયાનું સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2019 09:29 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK