જોગેશ્વરી સ્ટેશનને મળશે ત્રણ એસ્કેલેટર્સ
જોગેશ્વરી સ્ટેશન
RTIના માધ્યમથી જાણવા મળ્યું છે કે જોગેશ્વરી સ્ટેશનને એક-બે નહીં, પૂરાં ત્રણ એસ્કેલેટર્સ મળવાનાં છે, જેમાંનું એક માર્ચ મહિના સુધીમાં તૈયાર થઈ જશે.
હકીકતમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટેશનનો ઢાંચો ઉતારુઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. હાર્બર લાઇન માટે નવું પ્લૅટફૉર્મ બંધાયા બાદ વેસ્ટર્ન અને હાર્બર લાઇનનાં સ્ટેશનો એકબીજાં સાથે જોડાયેલાં ન હોવાની ઉતારુઓએ ફરિયાદ કરી હતી. જોકે હવે ઉતારુઓની તકલીફોનો અંત આવશે. ત્રણ એસ્કેલેટર્સ ઉપરાંત જોગેશ્વરીને હાર્બર અને વેસ્ટર્ન લાઇનના પ્લૅટફૉર્મને જોડતો ફુટઓવર બ્રિજ પણ મળશે.