Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > છબીલ પટેલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઈશ્યુ થાય તેવી શક્યતા

છબીલ પટેલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઈશ્યુ થાય તેવી શક્યતા

17 February, 2019 01:15 PM IST |

છબીલ પટેલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઈશ્યુ થાય તેવી શક્યતા

છબીલ પટેલ

છબીલ પટેલ


જયંતી ભાનુશાહી હત્યા કેસમાં છબીલ પટેલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઈસ્યુ થઈ શકે છે. ભાગેડુ જાહેર થયેલા છબીલ પટેલ વિરુદ્ધ તપાસ એજન્સીઓ ટૂંક સમયમાં રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરી શકે છે.

જયંતી ભાનુશાળીની હત્યા પહેલાથી છબીલ પટેલ દેશની બહાર છે. અને તપાસ દરમિયાન હત્યા કેસમાં છબીલ પટેલની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. તપાસ બાદ રેલવે પોલીસે છબીલ પટેલને ભાગેડુ જાહેર કરવાની કઅરજી ભચાઉ કોર્ટમાં કરી હતી. રેલવે પોલીસની અરજી પર કોર્ટે છબીલ પટેલને ભાગેડુ જાહેર કર્યો હતો.



બીજી તરફ છબીલ પટેલની ધરપકડ માટે વોરંટ ઈસ્યુ કરવા પણ કાર્યવાહી ચાલી રહી છે. વોરન્ટ ઇસ્યુ થયા બાદ છબીલ પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો તેની સંપત્તિઓ ટાંચમાં લેવાશે.


આ પણ વાંચોઃ પોલીસ પકડથી બહાર છબીલ પટેલ સોશિયલ મીડિયા પર છે સક્રિય!

ઉલ્લેખનીય છે કે લગભગ દોડ મહિના પહેલા સયાજીનગરી એક્સપ્રેસમાં જયંતી ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં SIT, ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. ત્યાર બાદ 23 જાન્યુઆરીએ આ હત્યા પાછળ મનિષા ગોસ્વામી અને છબીલ પટેલનો હાથ હોવાનો ખુલાસો થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2019 01:15 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK