Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શ્રીનગરમાં આતંકી હૂમલો, બે જવાન શહીદ

શ્રીનગરમાં આતંકી હૂમલો, બે જવાન શહીદ

26 November, 2020 03:48 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શ્રીનગરમાં આતંકી હૂમલો, બે જવાન શહીદ

તસવીર સૌજન્યઃ જાગરણ

તસવીર સૌજન્યઃ જાગરણ


મધ્ય કાશ્મીરના શ્રીનગરના બહારના વિસ્તાર અબન શાહ એચએમટી ચોકમાં આતંકવાદીઓએ સેનાની ક્વિક રિએક્શન ટીમ (QRT) પર ઘાતક હૂમલો કર્યો છે, જેમાં સેનાના બે જવાનો શહીદ થયા છે.

આ હૂમલાખોર મારુતિ કારમાં આવ્યા હતા, કુલ ત્રણ આતંકી હોવાના સમાચાર છે. હૂમલા બાદ તેઓ મારુતિ વેનમાં જ ભાગી ગયા હતા. આ આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે.




આઈજીપી કાશ્મીર રેન્જ વિજય કુમારે આ આતંકી હૂમલાની પુષ્ટી કરતા કહ્યું કે, ત્રણ આતંકવાદીઓએ હૂમલો કર્યો હતો. આની પાછળ જૈશ-એ-મોહમ્મદ ટેરરિસ્ટ ગ્રુપનો હાથ છે. મારુતિ કારમાં આ હૂમલાખોર ભાગી ગયા અને તેમનો પીછો કરવામાં આવ્યો હતો. આમાં બે વિદેશી આતંકવાદી હોવાનું કહેવાય છે.


shrinagar

પૉલીસે આપેલી માહિતી મુજબ, બપોરે આ હૂમલો થયો હતો. સેનાની ક્યુઆરટી ટીમ અબન શાહ એચએમટી ચોકમાં પહોંચી ત્યારે અચાનક કાર નજીકમાં આવીને ઉભી રહી અને આતંકવાદીઓએ સેના ઉપર અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતું. સેનાના બે જવાન ગંભીરરૂપે જખમી પણ થયા છે.

સ્થાનિક પોલીસે વિસ્તારને સીલ કર્યો છે. દરેક નાકા ઉપર એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

Whatsapp-channel Whatsapp-channel

26 November, 2020 03:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK