જમ્મૂ કશ્મીરઃ શોપિયાંમાં સુરક્ષાદળોએ જૈશના બે આતંકીઓને કર્યા ઠાર
તસવીર સૌજન્યઃ ANI
ઘાટીમાં આતંકના સફાયા માટે જવાનો પૂરજોશથી કોશિશ કરી રહ્યા છે. જમ્મૂ કશ્મીરના શોપિયાંમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે મૂઠભેડ થઈ. જેમાં જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.
#UPDATE: Two terrorists have been killed by security forces in Shopian. #JammuAndKashmir https://t.co/cQIkVxvfnn
— ANI (@ANI) April 13, 2019
ADVERTISEMENT
હાલ અહીં અટકી અટકીને ફાયરિંગ થઈ રહ્યું છે. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. મહત્વનું છે કે સુરક્ષા દળોને શોપિયાંમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની સૂચના મળી હતી, જેના આધાર પર સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષાબળોને જોતા જ આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. સેનાના જવાનો પણ આતંકીઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ LoC પર ભારતની કાર્યવાહી, પાક.ની 8 ચૌકી તબાહ અને 8 સૈનિકો ઠાર
કશ્મીરના IGPએ આ મામલે કહ્યું કે, બે આતંકી ઠાર મરાયા છે. જેમની પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. તેઓ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા. પોલીસે કેસ દાખલ કર્યો છે અને તપાસ ચાલુ છે.