જાંબાઝ જલંધર
જલંધર
પંજાબના જલંધર જિલ્લામાં લોકો પોતાની અગાસીઓને કૉન્ક્રીટના શિલ્પોથી શણગારવાનો શોખ ધરાવે છે. કેટલાક લોકોના ઘરના ધાબે મૂકેલા શિલ્પો તેમની દેશભક્તિની ઝાંકી કરાવે એવા હોય છે. ઉપ્પલ ભુપા નામના ગામમાં એક બંગલાની ઉપર ઍર ઇન્ડિયાનું પ્લેન મૂકેલું છે. એની સાઇઝ પણ ઑલમોસ્ટ રિયલ જેવી જ છે. આવું જ એક બીજું ઘર જંદિયાલા ગામમાં જોવા મળ્યું છે. આ ઘરની અગાસી પર પાણીની ટાંકીને બદલે આર્મીની લડાયક ટૅન્કનું શિલ્પ છે.