Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જીએસટી ચુકવણીમાં વિલંબ બદલ સપ્ટેમ્બરથી વ્યાજ વસૂલવામાં આવશે

જીએસટી ચુકવણીમાં વિલંબ બદલ સપ્ટેમ્બરથી વ્યાજ વસૂલવામાં આવશે

27 August, 2020 02:42 PM IST | Mumbai
Agencies

જીએસટી ચુકવણીમાં વિલંબ બદલ સપ્ટેમ્બરથી વ્યાજ વસૂલવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


 જીએસટીની ચુકવણીમાં વિલંબ સામે પહેલી સપ્ટેમ્બરથી કુલ કરપાત્ર રકમ પર વ્યાજ વસૂલવામાં આવશે એમ સરકારે જણાવ્યું હતું.
ઉદ્યોગોએ આ વર્ષની શરૂઆતમાં જીએસટી ચુકવણી પર વિલંબિત વ્યાજની લગભગ ૪૬,૦૦૦ કરોડ રૂપિયાની વસૂલાતના નિર્દેશ પર ચિંતા વ્યક્ત કરી હતી.
વ્યાજ એકંદર કર જવાબદારી પર લેવામાં આવ્યું હતું. કેન્દ્ર અને રાજ્યના નાણાપ્રધાનોનો સમાવેશ કરતી જીએસટી કાઉન્સિલની માર્ચમાં યોજાયેલી ૩૯મી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જીએસટીની ચુકવણીમાં વિલંબ બદલ વ્યાજની ચોખ્ખી કર જવાબદારી પર ૧ જુલાઈ, 2017થી લાગુ કરવામાં આવશે અને કાયદામાં પાછલી તારીખથી સુધારો કરવામાં આવશે.
જોકે 25 ઑગસ્ટે સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટૅક્સ અને કસ્ટમ્સ (સીબીઆઇસી)એ 1 સપ્ટેમ્બર, 2020થી ચોખ્ખા ટૅક્સ જવાબદારી પર વ્યાજ લેવાનું ઠરાવ્યું હતું.
એએમઆરજી અને અસોસિએટ્સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહને જણાવ્યું હતું કે આ સૂચના જીએસટી કાઉન્સિલના નિર્ણયોથી જોડાયેલી છે જેમાં કરદાતાઓને ખાતરી આપવામાં આવી હતી કે ઉપરોક્ત લાભ 1 જુલાઈ, 2017ની પાછળની તારીખથી ઉપલબ્ધ થશે.


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2020 02:42 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK