Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈંડોનેશિયા:પાપુઆમાં ભયાનક પૂર, અત્યાર સુધીમાં 50ના મોત

ઈંડોનેશિયા:પાપુઆમાં ભયાનક પૂર, અત્યાર સુધીમાં 50ના મોત

17 March, 2019 11:34 AM IST |

ઈંડોનેશિયા:પાપુઆમાં ભયાનક પૂર, અત્યાર સુધીમાં 50ના મોત

પૂરને કારણે સંખ્યાબંધ લોકોના મોત

પૂરને કારણે સંખ્યાબંધ લોકોના મોત


ઈંડોનેશિયાના પૂર્વ વિસ્તાર પાપુઆમાં ભારે વરસાદ પછી એકાએક પૂર આવવાથી લગભગ 50 લોકોના મૃત્યુ થયા છે. તો સંખ્યાબંધ લોકો લાપતા બન્યા છે. પૂર આવ્યા બાદ બચવા માટે પાપુઆમાં લોકોએ નાસભાગ મચાવી હોવાની માહિતી સ્થાનિક અધિકારીએ આપી છે.

આ અધિકારીના કહેવા પ્રમાણે શનિવારે જયપુરા જિલ્લાના કેટલાક ગામડાઓમાં લગભગ સાંજે 6 વાગ્યે મૂશળધાર વરસાદને કારણે પૂર આવ્યું હતું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 59 લોકો ઘાયલ થયા છે.



ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીની ઈમરજન્સી એકમના પ્રમુખ કોરી સિમબોલીને જણાવ્યું કે પૂરને કારણે ઘર, ઈમારતો અને પુલને ઘણું નુકસાન થયું છે. તેને કારણે 3,000 લોકો બેઘર થઈ ગયા છે. સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવાની સાથે રાહત શિબિરોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. આ વિનાશમાં જાન-માલનું ભારે નુકસાન થયું છે. સિમ્બોલીને કહ્યું કે ભૂસ્ખલનનું કારણ નદીના પાણીનું પ્રવાહ અટકી રહ્યો છે.


આ પણ વાંચો : બેઘર લોકોની તકલીફ સમજવા માટે 2 મહિના રોડ પર જીવન ગાળ્યું

ઉલ્લેખનીય છે કે ઈન્ડોનેશિયામાં આવી નૈસર્ગિક દુર્ઘટનાને કારણે દરવ ર્ષે મોટું નુકસાન થાય છે. આ વર્ષે જાન્યુઆરીમાં આવેલ પૂરમાં સેંકડો લોકોની મોત થઈ હતી. આ મહિને જાવામાં આવેલ ભૂકંપમાં લોકોને અન્ય સ્થળે મોકલવામાં આવ્યા હતા. ઈન્ડોનેશિયામાં વરસાદની ઋતુ ઓક્ટોબરથી એપ્રિલ સુધી હોય છે દરમિયાન ભારે વર્ષા થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2019 11:34 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK