ટનલ બાંધવામાં છ વર્ષનો સમય લાગ્યો છે. આ ટનલની પહોળાઈ ૮.૪૦૫ મીટર છે અને ઊંચાઈ ૭.૩૯૩ મીટર છે. હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કૉર્પોરેશન (એચસીસી) દ્વારા એનું બાંધકામ કરવામાં આવ્યું છે.
આ ટનલ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે પ્રોજેક્ટના ભાગરૂપે બનાવવામાં આવી છે. હિમાલયની આસપાસનો વિસ્તાર હોવાથી પથ્થર તોડીને ટનલ બનાવવામાં એચસીસીએ ભારે સમસ્યાનો સામનો કરવો પડતો હતો એટલે તેમણે ટનલ બનાવવા માટે ન્યુ ઑસ્ટ્રેલિયન ટનલિંગ મેથડોલૉજી (એનએટીએમ) અપનાવી હતી. શિયાળામાં અહીં ભારે વરસાદ પડતો હોવાથી તથા તાપમાન માઇનસ ૧૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું રહેતું હોવાથી અહીં કામ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
શું હેતુ છે?
કાશ્મીરમાં કાઝીગુંડથી બનીહાલ વચ્ચેનું ૧૧ કિલોમીટરનું અંતર ઘટાડવા માટે તથા બારામુલ્લા સુધીની યાત્રા સરળ બનાવવા માટે ભારતની સૌથી મોટી ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
જે દેશી રસી કોવૅક્સિન પર વિપક્ષોએ ઊભા કર્યા હતા સવાલ, એ જ પીએમ મોદીએ મુકાવી
2nd March, 2021 10:08 ISTનવા બૅટિંગ અને બોલિંગ-કોચની નિમણૂક કરી
2nd March, 2021 09:50 ISTઅમદાવાદની પિચના ટિકાકારોને વિવિયન રિચર્ડ્સ વખોડ્યા, કહ્યું...
2nd March, 2021 09:50 ISTઇંગ્લૅન્ડની સ્પિનરો સામે રમવાની નબળાઈનો ભારતે ઉઠાવ્યો લાભ: ઇયાન ચૅપલ
1st March, 2021 12:55 IST