Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાહતના સમાચાર: કોરોનાગ્રસ્તોની ટકાવારી ઘટીને 2.83 ટકાએ પહોંચી

રાહતના સમાચાર: કોરોનાગ્રસ્તોની ટકાવારી ઘટીને 2.83 ટકાએ પહોંચી

03 June, 2020 09:44 AM IST | New Delhi
Agencies

રાહતના સમાચાર: કોરોનાગ્રસ્તોની ટકાવારી ઘટીને 2.83 ટકાએ પહોંચી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોના મહામારીની વિરુદ્ધ દેશમાં જંગ છેડાયો છે. આ જીવલેણ વાઇરસને માત આપવા માટે દરેક રાજ્યએ મોટી તૈયારી કરી રાખી છે. ખૂબ જ સંક્રમણ હોવાના લીધે આ બીમારીની ઝપટમાં આવનારા લોકોની સંખ્યા તો દરરોજ વધી રહી છે, પરંતુ સારી વાત એ છે કે કોવિડ-19થી દેશમાં મોતનો આંકડો ઘટી રહ્યો છે અને આ બીમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. ધીમે-ધીમે ભારતમાં કોરોના નબળો પડતો રહ્યો છે અને આ ટ્રેન્ડ રહ્યો તો ટૂંક સમયમાં જ બીમાર થનારાઓની સામે સ્વસ્થ થનારાઓની સંખ્યા વધી ગઈ હશે.

૪૫ દિવસ પહેલાં કોવિડ-19થી બીમાર લોકોનાં મોતની ટકાવારી ૩.૩ ટકા હતી જ્યારે એ ઘટીને ૨.૮૩ ટકા થઈ ગયો છે. ૧૮ મેના રોજ મૃત્યુદર ૩.૧૫ ટકા હતો જે ૩ મેના રોજ ૩.૨૫ ટકા હતો. ભારતમાં એક દિવસમાં સૌથી વધુ મોતનો સરકારી આંકડો ૨૩૦ છે. દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા વધીને ૫૩૯૪ સુધી પહોંચી ગઈ છે અને એનાથી બીમાર લોકોની સંખ્યા ૧ લાખ ૯૦ હજારથી વધુ છે.


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2020 09:44 AM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK