સંસદ પરના હુમલાને ૧૦ વર્ષ પૂરાં
સંસદ પર થયેલા હુમલામાં શહીદ થયેલા સુરક્ષા જવાનોની તસવીરો સંસદભવનમાં રાખવામાં આવી છે. ગઈ કાલે વડા પ્રધાન મનમોહન સિંહ, ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારી, લોકસભાનાં સ્પીકર મીરા કુમાર, કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ના નેતા એલ. કે. અડવાણીએ આ તસવીરો પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં.