પુર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીની હાલત ગંભીર, રાષ્ટ્રપતિ AIIMS પહોંચ્યા
New Delhi : ભારતના પુર્વ નાણા પ્રધાન અરૂણ જેટલીની હાલત ગંભીર છે. હાલ તે AIIMS માં દાખલ છે. ઓગસ્ટ 9ના રોજ અરૂણ જેટલી એઈમ્સમાં દાખલ થયા હતા. મળતી માહિતી મુજબ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે બપોર 11 વાગે AIIMS પહોંચ્યા હતા.
Delhi: President Ram Nath Kovind to visit Former Finance Minister and BJP leader, Arun Jaitely who is admitted at All India Institute of Medical Sciences (AIIMS), today. He was admitted to AIIMS on 9th August due to breathing problems. (file pics) pic.twitter.com/690EQEetb6
— ANI (@ANI) August 16, 2019
ADVERTISEMENT
અરૂણ જેટલીને શ્વાસમાં તકલીફના કારણે છેલ્લા 8 દિવસથી AIIMS માં દાખલ છે
અરૂણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ અને નબળાઈના કારણે છેલ્લા 8 દિવસથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. AIIMSના તબિબોએ જણાવ્યું હ્તું કે, જેટલીના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર છે. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બોડલા અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓઓ હિસ્પિટલ પહોંચ્યા હતાં અને જેટલીના ખબર અંતર પુછ્યાં હતાં.
આ પણ જુઓ : આ રીતે દિલ્હીના પહેલા મહિલા CMથી વિદેશ પ્રધાન બન્યા સુષ્મા સ્વરાજ, રૅર ફોટોઝ
AIIMS ના ડૉક્ટરો ખડે પગે
AIIMSના એક વરિષ્ઠ તબિબે જણાવ્યું હતું કે, જેટલીને એક સ્વાસ્થ્ય સંબંધી તપાસ માટે સવારે 10 વાગ્યે હ્યદયરોગ વિભાગમાં દાખલ કરાવવામાં આવ્યા હતાં. એંડોક્રિનોલોજિસ્ટ, નેફ્રોલોજિસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે.