Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારતીય સેનાએ પાકિસ્તાનની સેનાના ત્રણ સૈનિકોને ઠાર કર્યા

ભારતીય સેનાએ પાકિસ્તાનની સેનાના ત્રણ સૈનિકોને ઠાર કર્યા

11 January, 2021 02:36 PM IST | Srinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય સેનાએ પાકિસ્તાનની સેનાના ત્રણ સૈનિકોને ઠાર કર્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એલઓસી પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલા વારંવાર યુદ્ધવિરામ ભંગની સામે ભારતીય સેનાએ જડબેસલાક કાર્યવાહી કરી હતી. જેમાં પાકિસ્તાની સેનાના ૩ સૈનિકો માર્યા ગયા અને અનેક સૈનિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

ઇન્ડિયન આર્મીએ કાશ્મીરના રાઝોરીના નૌશેરા સૅક્ટર ખાતે પાકિસ્તાની સેનાના યુદ્ધવિરામ ભંગ વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરી હતી. આ દરમ્યાન દુશ્મન દેશની મહત્ત્વની ચાર સેના ચોકીઓ પણ ભારતીય સેનાએ નષ્ટ કરી નાખી હતી. રવિવારે દુશ્મન દેશની સેનાએ તેના આતંકીઓને ભારતની સરહદમાં ઘૂસાડવાના કાવતરા હેઠળ એલઓસી પર યુદ્ધવિરામનો ભંગ કરી ભારતીય સુરક્ષા દળોનું ધ્યાન ભટકાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો, પરંતુ ભારતીય સુરક્ષા દળોની બાજનજરથી આતંકીઓ બચી શક્યા નહીં.



ભારતીય સેનાએ આતંકીઓને કવર ફાયર આપી રહેલી પાકિસ્તાની સેનાને વાજબી પાઠ ભણાવતા જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં તેના ૩ સૈનિકોનાં મોત થયાં હતાં અને અન્ય સૈનિકો ઘાયલ થયા હતા. ભારતીય સેનાની જવાબી કાર્યવાહીથી હેતબાઈ ગયેલી પાકિસ્તાની સેનાએ હાલમાં રાઝોરી એલઓસી પર યુદ્ધવિરામ ભંગ બંધ કરી દીધું હતું.


Whatsapp-channel Whatsapp-channel

11 January, 2021 02:36 PM IST | Srinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK