PoKમાં આતંકી કેમ્પ પર સેનાની મોટી કાર્રવાઈ, પાકના લૉન્ચ પેડ કર્યા તબાહ
ભારતીય સેનાએ પાકના આતંકી કેમ્પ કર્યા તબાહ
રવિવારે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં અધિકૃત કશ્મીર પર મોટી કાર્રવાઈ કરતા તેના આતંકવાદી કેમ્પને નિશાન બનાવ્યા છે. સેનાએ તોપથી પીઓકેમાં સ્થિત 4 લૉન્ચ પેડને નિશાન બનાવ્યા અને તેને તબાહ કરી દીધા. સમાચાર એજન્સી ANIએ આ ઘટનાની જાણકારી આપી છે. આ જવાબી કાર્રવાઈમાં સેનાએ 4 થી 5 પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા છે.
#UPDATE Sources: Terrorist launch pads in PoK’s Jura, Athmuqam and Kundalsahi were targeted by Indian Army artillery guns last night after credible inputs came of significant number of terrorists operating there. pic.twitter.com/mICB8Z9P4K
— ANI (@ANI) October 20, 2019
ADVERTISEMENT
Pakistan claims that 9 Indian soldiers have been killed in Pak Army firing, also claims that 1 Pakistan Army soldier and 3 Pakistani civilians died in the exchange of fire. pic.twitter.com/tiKSpPTt6w
— ANI (@ANI) October 20, 2019
PoKમાં સ્થિત આતંકી શિબિરો પર ભારતીય સેનાએ હુમલો કર્યો છે. આ હુમલો જમ્મૂ કશ્મીરના તંગધાર સેક્ટરમાં આવેલા આતંકી કેમ્પો પર કરવામાં આવ્યો. ANIએ સૂત્રોના હવાલાથી જાણકારી આપી છે કે ગુલામ કશ્મીર સ્થિત નીલમ ઘાટીમાં આવેલા ચાર આતંકી લૉન્ચ પેડને નિશાન બનાવવામાં આવ્યા. ચારેય લૉન્ચ પેડને તબાહ કરી દેવામાં આવ્યા છે.
Sources: As per reports, 4-5 Pakistan Army soldiers have been killed and several have been injured. Indian Army has launched attacks on terrorist camps situated inside Pakistan occupied Kashmir (PoK) opposite the Tangdhar sector. pic.twitter.com/SFFFjAReHX
— ANI (@ANI) October 20, 2019
ભારતીય સેનાની આ કાર્રવાઈમાં પાકિસ્તાનના આતંકી કેમ્પને ભારે નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલો છે. આ દરમિયાન 4 થી 5 પાકિસ્તાનના સૈનિકો પણ માર્યા ગયા છે. આ હુમલા માટે ભારતીય સેનાએ તોપનો ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાને કર્યું યુદ્ધ વિરામનું ઉલ્લંઘન, બે જવાન શહીદ
ANIના અહેવાલ પ્રમાણે પાકિસ્તાન આ આતંકી કેમ્પમાં હાજર આતંકીઓને ભારતીય સીમામાં ઘૂસાડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. જેની જાણકારી મળતા સેનાએ જવાબી કાર્રવાઈમાં આ હુમલો કર્યો છે. સેનાની આ કાર્રવાઈમાં કેટલા આતંકીઓ માર્યા ગયા તેની જાણકારી સામે નથી આવી.