ન્યુમોનિયાને કારણે વિશ્વમાં સૌથી વધુ બાળકોનાં મોત ભારતમાં થાય છે
Published: 17th November, 2012 06:23 IST
યુનિસેફના અહેવાલ મુજબ માત્ર ૨૦૧૦માં આ રોગને કારણે પાંચ વર્ષથી ઓછી વયનાં ૩.૯૭ લાખ બાળકોએ જીવ ગુમાવ્યો હતો
વિશ્વમાં ન્યુમોનિયાને કારણે બાળકોનાં થતાં મોતમાં ભારત મોખરે છે. યુનિસેફના અહેવાલ મુજબ વિશ્વમાં ભારતમાં ન્યુમોનિયાને કારણે પાંચ વર્ષથી ઓછી વયનાં બાળકોનાં સૌથી વધારે મોત ભારતમાં નોંધવામાં આવ્યાં છે. યુનિસેફના જણાવ્યા પ્રમાણે માત્ર ૨૦૧૦માં જ ભારતમાં પાંચ વર્ષથી ઓછી વયનાં ૩.૯૭ લાખ બાળકોનાં મોત ન્યુમોનિયાને કારણે થયાં હતાં. ભારતમાં દરરોજ ૧૦૮૮ બાળકો ન્યુમોનિયાને કારણે જીવ ગુમાવતાં હોય છે.
યુનિસેફના ઇન્ટરનૅશનલ વૅક્સિન એક્સેસ સેન્ટર (આઇવીએસી)ના ત્રીજા વાર્ષિક ન્યુમોનિયા પ્રોગ્રેસ રર્પિોટ મુજબ દુનિયાભરમાં બાળકોના મોતનું સૌથી મોટું કારણ ન્યુમોનિયા છે. માત્ર ૨૦૧૧માં આ રોગને કારણે દુનિયાભરમાં ૧૩ લાખ બાળકોનાં મોત થયાં હતાં, જેમાં મોટા ભાગનાં મોત ભારત જેવા વિકાસશીલ દેશમાં નોંધાયાં હતાં. ન્યુમોનિયાના મોટા ભાગના કેસમાં સારવાર શક્ય હોય છે, પણ અપૂરતી આરોગ્ય સુવિધાને કારણે બાળકો તેનો ભોગ બને છે. ભારત બાદ નાઇજિરિયામાં પણ ન્યુમોનિયાને કારણે સૌથી વધારે બાળકોનાં મોત થાય છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK