Coronavirus Update: 136 દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા 4.10 લાખની નીચે
પ્રતિકાત્મક તસવીર
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 36,652 નવા કોવિડ-19 પૉઝિટિવ કેસ સામે આવ્યા છે, તેમ જ 512 લોકોએ આ મહામારીથી પોતાનો જીવ ગુમાવતા કુલ મૃત્યુઆંક 1,39,700 થયો છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 4,09,689 છે. 136 દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા 4.10 લાખની નીચે ગઈ છે, એમ આરોગ્ય મંત્રાલયના આંકડા દર્શાવે છે.
#CoronaVirusUpdates:
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) December 5, 2020
?Total #COVID19 Cases in India (as on December 05, 2020)
▶️94.28% Cured/Discharged/Migrated (90,58,822)
▶️4.27% Active cases (4,09,689)
▶️1.45% Deaths (1,39,700)
Total COVID-19 confirmed cases = Cured/Discharged/Migrated+Active cases+Deaths pic.twitter.com/2myMfsDGoY
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 5,229 કેસ સામે આવ્યા છે, તેમ જ 127 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. તેમ જ 6,776 દર્દીઓ ડિસ્ચાર્જ પણ થયા છે. આમ રાજ્યમાં કુલ કેસ 18,42,587 છે, કુલ રિકવર થયેલા કેસની સંખ્યા 17,10,050 અને કુલ મૃત્યુઆંક 47,599 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 83,859 છે.
#CoronaVirusUpdates:
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) December 5, 2020
State-wise details of Total Confirmed #COVID19 cases
(till 5 December, 2020, 8 AM)
➡️States with 1-30000 confirmed cases
➡️States with 30001-225000 confirmed cases
➡️States with 225000+ confirmed cases
➡️Total no. of confirmed cases so far pic.twitter.com/e8Yw9mKmqr
મુંબઈમાં કુલ કોરોના કોવિડ-19 પૉઝિટિવ કેસ 2,84,509, રિકવર થયેલા કેસની સંખ્યા 2,58,992 અને કુલ મૃત્યુઆંક 10,945 છે. શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 13,754 છે.
Maharashtra reports 5,229 new #COVID19 cases, 6,776 discharges and 127 deaths today.
— ANI (@ANI) December 4, 2020
Total cases 18,42,587
Total recoveries 17,10,050
Death toll 47,599
Active cases 83,859 pic.twitter.com/zbZy29t627
ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોની સંખ્યા તો વધી જ છે. સાથે મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો છે. ગઈકાલે 1540 કેસ સપાટી પર આવ્યા હતા અને 13 દર્દીના મોત થયા હતા આજે પણ 1500થી વધુ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 1510 કેસો નોંધાયા છે. જ્યારે 18 દર્દીઓના મૃત્યુ થયા છે. જેમાંથી એકલા અમદાવાદમાં 13 દર્દીઓનો વાયરસે ભોગ લીધો છે. જોકે આજે 1627 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થયા છે.