Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > India Nuclear Missile: મિસાઇલ પરિક્ષણ, પાકિસ્તાન સુધી ગુંજશે આનો અવાજ..

India Nuclear Missile: મિસાઇલ પરિક્ષણ, પાકિસ્તાન સુધી ગુંજશે આનો અવાજ..

06 November, 2019 07:52 PM IST | Mumbai Desk

India Nuclear Missile: મિસાઇલ પરિક્ષણ, પાકિસ્તાન સુધી ગુંજશે આનો અવાજ..

India Nuclear Missile: મિસાઇલ પરિક્ષણ, પાકિસ્તાન સુધી ગુંજશે આનો અવાજ..


ભારત વધુ એક પરમાણુ મિસાઇલના પરીક્ષણ માટે તૈયાર છે. ભારત શુક્રવારે (8 નવેમ્બર)ના આંધ્રપ્રદેશના તટ પરથી પનડુબ્બી દ્વારા કે-4 પરમાણુ મિસાઇલનું પરિક્ષણ કરવા જઇ રહ્યો છે. સમાચાર એજન્સી એએનઆઇએ આ વાતની માહિતી આપી છે. પનડુબ્બિયોમાંથી પોતાના દુશ્મનના ઠેકાણાંઓને મારી તોડવાની ક્ષમતાઓને વધારે મજબૂત કરવા માટે ભારત શુક્રવારે વધુ એક પગલું આગળ વધારશે. કે-4 પરમાણુ મિસાઇલની મારક ક્ષમતા 3500 કિલોમીટર કહેવામાં આવી રહી છે.

આ મિસાઇલ પ્રણાલી રક્ષા તેમજ અનુસંધાન વિકાસ સંસ્થાન (ડીઆરડીઓ) દ્વારા અરિહંત શ્રેણીની પરમાણુ પનડુબ્બિઓ માટે વિકસિત કરવામાં આવી રહી છે. અરિહંત પરમાણુ પનડુબ્બિયાં ભારત દ્વારા વિકસિત કરવામાં આવી રહી છે. આ પનડુબ્બિયાં ભારતના પરમાણુ પરિક્ષણનું મુખ્ય આધાર હશે.



પરિક્ષણનું લક્ષ્ય


સરકારી સૂત્રોએ કહ્યું, "ડીઆરડીઓ શુક્રવારે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ કટમાંથી એક અંડરવૉટર પ્લેટફૉર્મથી કે-4 પરમાણુ મિસાઇલનું પરિક્ષણ કરશે. આ પરિક્ષણ દરમિયાન ડીઆરડીઓ મિસાઇલ પ્રણાલીમાં ઉન્નત પ્રણાલિઓ ટેસ્ટ કરશે."

કે-4 બે પરમાણુ પનડુબ્બી મિસાઇલોમાંની એક છે, જે ભારત દ્વારા વિકસિત કરવામાં આવી રહી છે. એક અન્ય મિસાઇલ B-5 છે, જેની મારક ક્ષણતા 700 કિલોમીટરથી પણ વધારે છે.


કેટલી રેન્જનું હશે પરિક્ષણ?

જો કે, આ હજી સુધી સ્પષ્ટ નથી કે ડીઆરડીઓ પૂરી રેન્જ પર મિસાઇલનું પરિક્ષણ કરશે કે ઓછા અંતરમાં. ભારત દ્વારા નિયોજિત ટેસ્ટ-ફાયરિંગ માટે લાંબા અંતરની મિસાઇલ પરિક્ષણ માટે NOTAM (નોટિસ ટૂ એરમેન) અને સમુદ્રને લઈને ચેતવણી પહેલાથી જ આપી દેવામાં આવી છે.

કેટલીક અન્ય મિસાઇલોના પરિક્ષણની તૈયારી

કે-4 મિસાઇલના પરિક્ષણની યોજના ગયા મહિને બનાવવામાં આવી હતી, પણ આ સ્થગિત કરી દેવામાં આવી હતી. ડીઆરડીઓ આગામી થોડાંક અઠવાડિયામાં વધુ કેટલીક મિસાઇલોનું પણ પરિક્ષણ કરવા જઈ રહ્યા છે. ભારત, અગ્નિ-3 અને બ્રહ્મોસ મિસાઇલોના પરિક્ષણની યોજના બનાવી રહ્યું છે.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યા અને નતાશાએ માણી ડિનર ડેટ, જુઓ તસવીરો

સરકારી સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે, "કે-4 મિસાઇલનું પરિક્ષણ પાણીની અંદર પંટૂન દ્વારા કરવામાં આવશે, કારણકે હજી પણ મિસાઇલનું પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે અને એક પનડુબ્બીથી લૉન્ચ ફક્ત એક વાર કરવામાં આવશે, જ્યાં સુધી આ તહેનાત કરવા માટે તૈયાર ન થઈ જાય."

Whatsapp-channel Whatsapp-channel

06 November, 2019 07:52 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK