ગુજરાતમાં સર્જરી બાદ ગૃહમંત્રી અમિત શાહને હૉસ્પિટલમાંથી મળી રજા
Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બુધવારે સવારે અમદાવાદની કેડી હૉસ્પિટલમાં સર્જરી કરવામાં આવી. ગરદનની પાછળના ભાગમાં લિપોમાની સર્જરી બાદમાં તેમને હૉસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. અમિત શાહ મંગળવારે રાત્રે પારિવારિક પ્રસંગમાં હાજર રહેવા માટે અમદાવાદ પહોંચ્યા હતા.
અમદાવાદની કેડી હૉસ્પિટલમાં મેનેજિંગ ડાયરેક્ટર ડૉક્ટર અદિત દેસાઈએ જણાવ્યું કે, ગૃહમંત્રી અમિત શાહે બુધવારે સવારે હૉસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. ચેકઅપ બાદ તેમની એનેસ્થેસિયાની મદદથી ગરદનની નીચે લિપોમાનું સફળતાપૂર્વક ઑપરેશન કરવામાં આવ્યા. તે બાદ તેમને રજા આપવામાં આવી. અમિત શાહ હાલ અમદાવાદમાં પોતાના નિવાસસ્થાને આરામ કરી રહ્યા છે.
આ પણ જુઓ : પરેશ ધાનાણીઃ સાદુ જીવન અને ઉચ્ચ વિચાર ધરાવતા જનતાના નેતા
જાણો શું છે લિપોમા?
લિપોમા ધીમી ગતિથી આગળ વધતી વસાયુક્ત ગાંઠ હોય છે, જો ઘણીવાર ત્વતા અને અંદર આવેલી માંસપેશીઓના પડ વચ્ચે આવેલી હોય છે. મહત્વનું છે કે અમિત શાહ મંગળવારે રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર તેમની યજમાની માટે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને પ્રદીપ સિંહ વાઘેલા પહોંચ્યા હતા.