Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારત-ચીન સીમા વિવાદ: રાહુલ ગાંધીએ વડાપ્રધાનને પૂછયા આ ત્રણ સવાલ

ભારત-ચીન સીમા વિવાદ: રાહુલ ગાંધીએ વડાપ્રધાનને પૂછયા આ ત્રણ સવાલ

07 July, 2020 04:52 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભારત-ચીન સીમા વિવાદ: રાહુલ ગાંધીએ વડાપ્રધાનને પૂછયા આ ત્રણ સવાલ

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


એક બાજુ ભારત અને ચીન વચ્ચે લગભગ છેલ્લા બે મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે અને બીજી બાજુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સરહદ વિવાદને લઈને કેન્દ્ર સરકાર પર સતત હુમલો કરી રહ્યા છે. હવે રાહુલ ગાંધીએ પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં ચીની સેનાની પીછેહઠ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલેની ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે થયેલી મુલાકાતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રણ સવાલો પૂછયા છે.

ગલવાન ઘાટીમાંથી ચીની સેનાની પીછેહટ બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ભારત-ચીન સીમા વિવાદ મુદ્દે સરકારને ત્રણ સવાલ કર્યા છે. રાહુલ ગાંધીએ પૂછ્યું કે, LAC પર યથાસ્થિતિ નહીં?, રાષ્ટ્રીય હિત સર્વોપરી છે. તો જૂની સ્થિતિ ફરી યથાવત કરવાની વાત કેમ નહીં?, અને ગલવાન ઘાટીમાં ક્ષેત્રીય સંપ્રભુતાનો ઉલ્લેખ નહીં આપણી સેનાના 20 સૈનિક કેમ માર્યા ગયા? રાહુલ ગાંધીએ પોતાન ટ્વીટર હેન્ડલ પર ભારત અને ચીનની સરકારના નિવેદનો શૅર કર્યા છે.




આ પહેલા રાહુલ ગાંધીએ 4 જૂલાઈએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશભક્તો લદ્દાખી ચીની આક્રમણ સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને સરકારને તેઓની વાત સાંભળવા કહે છે. તેની ચેતવણીને અવગણવી ભારતને મોંઘી પડી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2020 04:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK