મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરના ઍક્સિડન્ટમાં NRI એન્જિનિયરનું મોત
ઍક્સિડન્ટમાં મૃત્યુ પામનાર જિતેશ જગદીશ જાધવ નવી મુંબઈના નેરુળનો રહેવાસી છે અને તે સાઉથ આફ્રિકામાં એક IT કંપનીમાં નોકરી કરે છે. કારમાં તેની પત્ની ડૉ. પલ્લવી બાજુમાં બેઠી હતી અને તેને મામૂલી ઈજા થઈ હતી. બાકીના ત્રણ જણને ઘણો માર વાગ્યો હતો અને તેમને નિગડીની લોકમાન્ય હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે.
ઍક્સિડન્ટ ગઈ કાલે સવારે મુંબઈથી પુણે જતાં વાહનોની લેનમાં કોલશેત ટનલ પાસે થયો હતો. એન્જિનિયરની કાર ટ્રક કન્ટેનર સાથે પાછળથી ભટકાઈ હતી. પોલીસે કહ્યું હતું કે પ્રવાસી ફૉર્ડ કાર પુરઝડપે જઈ રહી હતી. કાર ડ્રાઇવ કરી રહેલા જિતેશ જાધવનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.