Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોરીવલીમાં બાળકીના મૃતદેહને પિતા ખભા પર સ્મશાન સુધી લઈ ગયો

બોરીવલીમાં બાળકીના મૃતદેહને પિતા ખભા પર સ્મશાન સુધી લઈ ગયો

29 March, 2020 09:02 AM IST | Mumbai Desk
Mumbai Correspondence

બોરીવલીમાં બાળકીના મૃતદેહને પિતા ખભા પર સ્મશાન સુધી લઈ ગયો

બોરીવલીમાં બાળકીના મૃતદેહને પિતા ખભા પર સ્મશાન સુધી લઈ ગયો


દેશ પર અભૂતપૂર્વ સંકટનાં વાદળ ઘેરાયાં છે. કોરોના વાઇરસની ચપેટમાં આખો દેશ સપડાયો છે ત્યારે બોરીવલીમાં તમારું દિમાગ કામ ન કરે એવી ઘટના બની હતી. કોરોના વાઇરસ વધુ પ્રમાણમાં ફેલાય નહીં એટલે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બોરીવલીમાં અઢી વર્ષની બાળકીના મૃતદેહને પિતા ખભા પર સ્મશાન સુધી લઈ ગયા હતા.

છેલ્લા અનેક દિવસથી આ બાળકી બીમાર હતી. પાલિકાના ડૉક્ટરો તેની તપાસ કરી રહ્યા હતા. કોરોનાની દૃષ્ટિએ પણ તેની તપાસ કરવામાં આવી હતી, પણ એવાં કોઈ લક્ષણ તે બાળકીમાં દેખાયાં નહોતાં. દરમ્યાન બીમારીને કારણે આ બાળકીનું ગઈ કાલે સવારે મૃત્યુ થયું હતું. કોરોના વાઇસને રોકવા માટે કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે ત્યારે અંતિમ સંસ્કાર માટે પણ સરકારે અમુક નિર્દેશ બહાર પાડ્યા છે. અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકોએ જઈને ગિરદી ન કરવી. આ બાબતને ધ્યાનમાં રાખીને બાળકીનાં માતા-પિતાએ ઘરના અને પાડોશના મળીને અંદાજે ૧૦ જણ સાથે મળીને બાળકીના અંતિમ સંસ્કાર કર્યા હતા. પિતા બાળકીના મૃતદેહને ખભા પર ઉઠાવીને સ્મશાનભૂમિ સુધી લઈ ગયા હતા. પોલીસને માહિતી મળતાં ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી, પણ કુટુંબીજનોએ ઍમ્બ્યુલન્સની સેવા લેવાનું નકારી દીધું હતું.


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2020 09:02 AM IST | Mumbai Desk | Mumbai Correspondence

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK