અમદાવાદ: આગામી પાંચ દિવસ સુધી તાપમાન ૪૨ ડિગ્રીએ પહોંચશે
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદીઓ માટે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે અમદાવાદીઓ માટે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ સુધી ૪૨ ડિગ્રી તાપમાનમાં ગરમીથી શેકાવા માટે તૈયાર રહેજો.દરિયામાં તેજ પવન ફૂંકાતાંની સાથે જ હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભર માટે આ આગાહી કરી છે. સાથે માછીમારોને પણ ૨૬થી ૨૮ મે સુધી દરિયો ના ખેડવા માટે કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: આને કહેવાય પાકિસ્તાનઃ મૉપેડ પર ગાય સાથે સવારી
ADVERTISEMENT
હવામાન વિભાગે અમદાવાદીઓ માટે આગાહી કરી છે કે, પવનોની ગતિ તેજ હોવાના કારણે આ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતના દરિયાકિનારામાં તેજ ગતિથી પવનો ફૂંકાશે. દરિયાકિનારે ૪૦થી ૪૫ કિમીની ઝડપે પવન ફૂંકાશે, જેથી આગામી ૨૬, ૨૭, ૨૮ મેના રોજ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.