Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > RSSના વડા મોહન ભાગવતનું એલાન : ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું શમણું ટૂંક સમયમાં થશે સાકાર

RSSના વડા મોહન ભાગવતનું એલાન : ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું શમણું ટૂંક સમયમાં થશે સાકાર

21 December, 2014 05:54 AM IST |

RSSના વડા મોહન ભાગવતનું એલાન : ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું શમણું ટૂંક સમયમાં થશે સાકાર

 RSSના વડા મોહન ભાગવતનું એલાન : ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું શમણું ટૂંક સમયમાં થશે સાકાર



Mohan bhagvat



કલકત્તામાં યોજાયેલા વિશ્વ હિન્દુ પરિષદના એક સંમેલનને સંબોધન કરતાં મોહન ભાગવતે એમ પણ કહ્યું હતું કે યુવાનોની યુવાની ચાલી જાય એ પહેલાં ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે. દેશ હિન્દુ રાષ્ટ્ર બને એ સપનું સાકાર થવામાં હવે બહુ લાંબો સમય બાકી નથી રહ્યો.

હિન્દુત્વ વિના કોઈનું કલ્યાણ થઈ ન શકે એવું જણાવતાં મોહન ભાગવતે ઉમેર્યું હતું કે હિન્દુ બદલાશે નહીં તો હિન્દુત્વ પણ નહીં બદલાય. માથાં વાઢી નાખતા લોકોથી અમે બીજાઓને જરૂર બચાવીશું અને આ મુદ્દે અમારો નિર્ણય અટલ છે.

પાકિસ્તાનને પણ હિન્દુસ્તાનનો એક હિસ્સો ગણાવતાં મોહન ભાગવતે કહ્યું હતું કે ૧૯૪૭માં જે કંઈ થયું એના કારણે પાકિસ્તાનની રચના થઈ છે, પણ એ સ્થાયી નથી. પાકિસ્તાન બહુ બધા ગુનાઓ કરી રહ્યું છે અને આપણે સહન કરી રહ્યા છીએ, પણ હવે એ નહીં ચાલે. શું કરવું એની અમને ખબર છે. આતંકથી ડરેલા દુનિયાભરના લોકોની મદદ હિન્દુઓ કરી શકે તેમ છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 December, 2014 05:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK