વારંવાર યાદ અપાવવા છતાં ઈ-ચલાનની ચુકવણી ન કરનારા શહેરના ૪૨૦૦ જેટલા વાહનચાલકો આગામી થોડાં અઠવાડિયાંમાં તેમનું લાઇસન્સ ગુમાવી શકે છે.
આ સંદર્ભે મુંબઈ ટ્રાફિક-પોલીસે આરટીઓના અધિકારીઓ સાથે મંગળવારે ઉચ્ચ સ્તરીય મીટિંગ યોજી હતી.
ટ્રાફિક-પોલીસે જણાવ્યા અનુસાર શહેરમાં અનેક વાહનચાલકો એકદમ જોખમી રીતે તેમ જ નિયમોનું સદંતર ઉલ્લંઘન કરીને વાહનો ચલાવતા હોય છે અને તેમને ઈ-ચલાન દ્વારા દંડ કરવામાં આવ્યો હતો, જેને ચૂકવવાનો વાહનચાલકોએ ઇનકાર કર્યો હતો.
બાકી નીકળતી દંડની રકમ વસૂલવાના ભાગરૂપે શરૂ કરવામાં આવેલી ઝુંબેશમાં ટ્રાફિક-પોલીસ ફોનના માધ્યમથી મોકલવામાં આવેલા ઈ-ચલાનની રકમ ન ચૂકવનારા ડ્રાઇવરોનો સંપર્ક કરી રહી છે. જે 4200 લોકોએ દંડની રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો છે તેમનાં નામ આરટીઓ કાર્યાલયને મોકલવામાં આવશે.
આ યાદીમાં સિગ્નલ તોડનારા, ડ્રાઇવિંગ વખતે મોબાઇલ ફોન પર વાત કરનારા, શરાબ પીને ડ્રાઇવિંગ કરનારાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ડ્રાઇવરોને કરવામાં આવેલી દંડની રકમ લગભગ પાંચ કરોડ રૂપિયા જેટલી છે.
ટ્રાફિક-પોલીસે જણાવ્યું હતું કે 2015માં રાજ્ય સરકારે એક ઠરાવ બહાર પાડ્યો હતો, જે મુજબ જોખમી રીતે ડ્રાઇવિંગ કરનારા તેમ જ વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોનાં લાઇસન્સ રદ કરવાનો તેમને અધિકાર આપવામાં આવ્યો હતો.
આ ઝુંબેશના 24 દિવસોમાં ટ્રાફિક-પોલીસના વરલીસ્થિત હેડ ક્વૉર્ટર્સમાં બે શિફ્ટમાં કામ કરતા 24 પોલીસો સાથે શરૂ કરવામાં આવેલા કૉલ સેન્ટરે 1.12 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. સૌથી વધુ રકમ ચૂકવવાની બાકી હોય તેવા વાહનચાલકોને પહેલાં કૉલ કરવામાં આવતા હતા.
રેલ પ્રવાસીઓને મોટી રાહત, Mobile Appથી ફરી બુક થશે જનરલ ટિકિટ
26th February, 2021 15:39 ISTધોઝ પ્રાઇસી ઠાકુર ગર્લ્સમાં ગૌહર ખાન
26th February, 2021 14:21 ISTસોશ્યલ મીડિયાને લીધે ટૅલન્ટને ઓળખ મળી હોવાનું માને છે સિંગર આકૃતિ કક્કર
26th February, 2021 14:18 ISTબાવરા દિલના સરકાર અને ઉદયભાણ સિંહ વચ્ચે શું સમાનતા છે?
26th February, 2021 13:59 IST