Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હોટેલ, બાર અને મૉલ્સ ખૂલે તો ગાર્ડન્સ કેમ નહીં?

હોટેલ, બાર અને મૉલ્સ ખૂલે તો ગાર્ડન્સ કેમ નહીં?

03 October, 2020 08:57 AM IST | Mumbai
Prajakta Kasale | prajakta.kasale@mid-day.com

હોટેલ, બાર અને મૉલ્સ ખૂલે તો ગાર્ડન્સ કેમ નહીં?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજ્ય સરકારે કોરોના રોગચાળાના લૉકડાઉનમાં છૂટછાટો જાહેર કર્યા પછી મીરા-ભાઈંદરના રહેવાસીઓએ બગીચા ખોલવાની પરવાનગી શા માટે ન આપી એ બાબતે સવાલો ઊભા કરી રહ્યા છે. મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ એકાદ મહિના પહેલાં શહેરમાં મૉલ્સ અને બજારો ખુલ્લાં મૂકવાની છૂટ આપી હતી. રાજ્ય સરકારે પહેલી જૂનથી બગીચા ખુલ્લા મૂકવાની જાહેરાત કરી હતી. પરંતુ મીરા-ભાઈંદર મહિનગરપાલિકાએ તેમના ક્ષેત્રમાં બગીચા ખોલવાની છૂટ આપી નહોતી.
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ પહેલી ઑક્ટોબરના સર્ક્યુલરમાં હોટલો, ફૂડ કોર્ટ્સ અને બાર ફરી ખોલવાની જાહેરાત કરી હતી. પરંતુ એ સર્ક્યુલરમાં બગીચા-પાર્ક્સ ફરી ખોલવાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ખાસ કરીને મૉર્નિંગ વૉકનો નિયમ ધરાવતા લોકો માટે આ મુદ્દો મહત્ત્વનો બન્યો છે.
ભાઈંદર (ઈસ્ટ)નાં રહેવાસી કૃતિકા ભોઇરે જણાવ્યું હતું કે ‘હું રોજ ઈવનિંગ વૉક માટે નીકળતી હતી. પરંતુ લૉકડાઉન જાહેર કરવામાં આવ્યા પછી એ નિયમ તૂટી ગયો છે. બગીચામાં ભીડ થતાં રોગચાળો ફેલાવાનો ડર રહે છે, પરંતુ હવે નવા સંજોગોમાં જો બજારો લોકોથી ભરચક હોય તો બગીચા ખોલવામાં શો વાંધો હોઈ શકે?’
જોકે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર ડૉ. વિજય રાઠોડે જણાવ્યું હતું કે ‘બગીચા-પાર્ક્સ ખુલ્લા મૂકવાની કોઈ યોજના નથી, પરંતુ જો લોકલાગણી અને માગણી હશે તો અમે ચોક્કસ એ બાબતે વિચારણા કરીશું.’


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2020 08:57 AM IST | Mumbai | Prajakta Kasale

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK