દિગ્વિજય સિંહે બબ્બે લેટર લખ્યા બાદ અણ્ણાએ સામો પત્ર લખી આપેલો જવાબ
અણ્ણા હઝારેના ઉપવાસ આંદોલનને આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)નો સર્પોટ હોવાના આરોપને ફગાવી દેતાં અણ્ણાએ લખ્યું હતું કે ‘મને બદનામ કરવા માટે આ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જોકે એનાથી પ્રજામાં મારી છબિમાં કોઈ ફરક નહીં પડે. મારા ઉપવાસ આંદોલનમાં આરએસએસનો એક પણ કાર્યકર નહોતો જોડાયો.’
અણ્ણા હઝારેએ દિગ્વિજય સિંહ પર વળતો પ્રહાર કરતાં પત્રમાં લખ્યું હતું કે જો તમે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે સમર્પણથી કામ કર્યું હોત તો લોકોએ તમને પદ પરથી હટાવ્યા ન હોત. ૭૪ વર્ષના હઝારેએ કહ્યું હતું કે ‘એક પણ રાજકીય પક્ષ સ્વચ્છ નથી. એક પક્ષે ભ્રષ્ટાચારમાં ગ્રૅજ્યુએશન કર્યું છે તો બીજો પક્ષ એમાં પીએચડી છે.’
કૅપ્ટન ઐયરની સેન્ચુરી, મુંબઈની સતત ચોથી જીત
28th February, 2021 12:45 ISTપૃથ્વી શૉની ડબલ સેન્ચુરીએ બનાવ્યો અનોખો રેકૉર્ડ
26th February, 2021 08:05 ISTવિજય હઝારે ટ્રોફીમાં રમતા ત્રણ પ્લેયર્સ કોરોનાગ્રસ્ત
24th February, 2021 11:33 ISTકૅપ્ટન ઐયરની સેન્ચુરી, મુંબઈની સતત બીજી જીત
24th February, 2021 11:33 IST