હું જ્યોતિષી નથી કે વિદેશમાં કેટલું કાળું નાણું છે એની મને ખબર હોય : મનમોહન સિંહ
Published: 5th November, 2011 19:31 IST
વડા પ્રધાન મનમોહન સિંહે ગઈ કાલે ૨૦ દેશોના ટોચના નેતાઓના ગુપ્ર ‘G-20’એ વિદેશી બૅન્કોમાં છુપાવેલું કાળું નાણું પાછું લાવવા માટે ફ્રાન્સના શહેર કાનમાં કરેલા કરાર બાબતે સંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘બ્લૅક મની પરત લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. જોકે વિદેશમાં કેટલું કાળું નાણું છુપાવવામાં આવ્યું છે એ વિશે મને કોઈ અંદાજ નથી. હું કોઈ જ્યોતિષી નથી.’
આપણે એવી સ્થિતિમાં જીવવું પડે છે જ્યાં બધું આપણને ગમતું નથી થતું એમ જણાવતાં મનમોહન સિંહે વધુમાં કહ્યું હતું કે ‘આપણે સાર્વભૌમ રાષ્ટ્રો સાથે કામ પાર પાડી રહ્યા છીએ. આ સાર્વભૌમ રાષ્ટ્રો એમનો કાનૂન જેટલી છૂટ આપે એટલો જ સહકાર આપણને આપી શકે છે. આ દિશામાં કામ થઈ રહ્યું છે. મને અંદાજ નથી કે વિદેશી બૅન્કોમાં કેટલું કાળું ધન છુપાવવામાં આવ્યું છે.’
જી-૨૦ રાષ્ટ્રોએ વિદેશી બૅન્કોમાં બ્લૅક મની છુપાવી કરચોરી કરતા લોકોને પકડી પાડવા માટે સહકાર સાધવા કરાર કર્યા છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK