Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મલાડની સગર્ભા માટે સાબિત થઈ અનલકી ૧૧-૧૧-૧૧

મલાડની સગર્ભા માટે સાબિત થઈ અનલકી ૧૧-૧૧-૧૧

14 November, 2011 05:52 AM IST |

મલાડની સગર્ભા માટે સાબિત થઈ અનલકી ૧૧-૧૧-૧૧

મલાડની સગર્ભા માટે સાબિત થઈ અનલકી ૧૧-૧૧-૧૧




(શિવા દેવનાથ)

મુંબઈ, તા. ૧૪

અનેક લોકો માટે ૧૧ નવેમ્બર ખૂબ જ સારો દિવસ હતો, પરંતુ ૨૬ વર્ષની સગર્ભા સાધના સોનાવણે તથા તેના કુટુંબીજનો માટે આ દિવસ અત્યંત દુ:ખદ બન્યો. એકસાથે બે વિપદાઓનો ભોગ તેઓ બન્યાં. પોતાના ૩૫ વર્ષના પતિ સુનીલ દ્વારા સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવતાં ૯૦ ટકાથી વધુ દાઝી જવાને કારણે સાધના સોનાવણે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. શુક્રવારે જ્યારે તેને ભગવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારે ડૉક્ટરે કરેલી પ્રાથમિક તપાસમાં પેટમાં ઊછરી રહેલું બાળક હલનચલન ન કરી રહ્યું હોવાનું જણાતાં તેનો ચેપ માતાને ન લાગે એ માટે ઑપરેશન કરતાં ડૉક્ટરનું અનુમાન સાચી પડ્યું. અગનજ્વાળાઓની ગરમી પેટમાં રહેલી બાળકી સહન ન કરી શકતાં મૃત્યુ પામી હતી. ડૉક્ટરોએ હજી સુધી આ વાત માતાથી છુપાવી રાખી છે.

૮ નવેમ્બરે નશાની હાલતમાં તેના પતિ સુનીલે સાધના પર કેરોસીન છાંટી તેને સળગાવી નાખી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ માલવણીમાં રહેતો સુનીલ મલાડના એક કૉલ-સેન્ટરમાં પ્યુનની નોકરી કરે છે તેમ જ ખરાબ સંગત તથા દારૂની લતને કારણે ઘરે પગાર ન આપતાં તેની પત્નીએ લોકોના ઘરનું કામ કરવું પડતું હતું. પોતાની પત્ની અન્ય લોકોના ઘરે કામ કરે એ સુનીલને પસંદ નહોતું એથી તે પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી મારઝૂડ કરતો હતો. આ વિશે સાધનાએ પોતાના રિલેટિવ્સને જણાવ્યું હતું. તેના કુટુંબીજનો સાધનાને પોતાના ઘરે ઔરંગાબાદ લઈ જાય એ પહેલાં જ આ કમનસીબ ઘટના બની હતી. પોલીસે સુનીલ પર હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2011 05:52 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK