રાજાવાડી હૉસ્પિટલમાં મધમાખીઓ પ્રવેશતાં દોડધામ
જો કે હૉસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર માત્ર એક જ વ્યક્તિને છોડી બાકી કોઈને પણ મધમાખીના ડંખની ઈજા નહોતી થઈ. હૉસ્પિટલના સંચાલકોએ પેશન્ટોને સલામતી ખાતર ગાયનેકૉલૉજી વૉર્ડમાં ખસેડ્યા હતા.
જોકે આ મધમાખીઓના ઝુંડને કઈ રીતે બહાર ખસેડવું એની મૂંઝવણ પણ હૉસ્પિટલના સંચાલકોને થઈ હતી; કારણ કે પોલીસ, ફાયરબ્રિગેડ તથા એનજીઓ તમામે આ વિશે એમ કહી હાથ ઊંચા કરી દીધા કે આ સમસ્યાનો સામનો કઈ રીતે કરવો એની ટ્રેઇનિંગ તેમને મળી નથી. હૉસ્પિટલના સત્તાવાળાઓએ સ્થાનિક જાણકારોની મદદ લીધી હતી.